સોશિયલ મીડિયામાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા છે. આજરોજ યોજાયેલી સંસદીય દળની બેઠકમાં PM મોદીએ દિલ્હી હિંસા પર આડકતરી રીતે ઇશારા સાથે કહ્યું કે દેશમાં શાંતિ અને એકતા જરૂરી છે. બેઠકમાં PM મોદીએ પોતાના નારાને ફરીથી વ્યક્ત કરતાં કહ્યું કે સબકા સાથે, સબકા વિકાસની સાથે-સાથે બધાનો વિશ્વાસ પણ જરૂરી છે. PM મોદીએ તેને લઇને કડક વલણમાં જણાવ્યું કે તેમના માટે પહેલા દેશ છે અને પછી પક્ષ છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે PM મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે તેઓ સોશિયલ મીડિયા છોડવાના સમાચારને લઇને ચોતરફ છવાયેલાં છે. PM મોદીએ સોમવારે મોડી રાત્રે આ અંગેની જાહેરાત કરી હતી કે રવિવારથી તેઓ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટયુબમાંથી સંન્યાસ લઇ લેશે.
મોદીએ કહ્યું - દેશ સૌથી પહેલા
સૂત્રોને મળતી જાણકારી મુજબ PM મોદીએ બેઠકમા જણાવ્યું હતું કે દેશ સર્વોપરી છે.વિકાસ ભાજપનો મંત્ર છે અને તેના માટે શાંતિ એકતા અને સદ્દભાવ જરૂરી છે. તે સાથે રાખતા વિકાસને આગળ લઇ જવાનો છે.
બેઠકમાંથી બહાર આવ્યાં બાદ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોષીએ જણાવ્યું કે PM મોદીએ સાંસદો સાથે કડક શબ્દોમાં એમ પણ કહ્યું કે માત્ર બોલવાનું નથી, દરેક સાંસદોએ શાંતિ, એકતા અને સદ્દભાવનાને આગળ રાખવાનું છે. PM મોદીએ કહ્યું કે આજની જેમ જ દેશહિત અને પક્ષહિત ત્યારે પણ આ મુદ્દો આવ્યો હતો, ત્યારે વંદ માતરમને પણ ઇન્કાર કરવામાં આવ્યો હતો. ત્યારની જેમ હવે ભારત માતાની જય ના નારાનો મુદ્દો બનાવાનો પ્રયત્ન કરાઇ રહ્યો છે.
Parliamentary Affairs Minister, Pralhad Joshi: Prime Minister Modi at the BJP Parliamentary Party meeting today said that we are here for the national interest. PM Modi also said that the nation is supreme, and that development is our mantra. pic.twitter.com/xjJhUBgYTJ
દિલ્હીમાં ફેલાયેલી હિંસા પછી 26 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી વાર તેની ઉપર કહ્યું હતું. અંદાજે 69 કલાક બાદ આવેલા આ ટવિટના કારણે PM મોદીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરતાં લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી હતી.
Peace and harmony are central to our ethos. I appeal to my sisters and brothers of Delhi to maintain peace and brotherhood at all times. It is important that there is calm and normalcy is restored at the earliest.
PM મોદીએ લખ્યું હતું, દિલ્હીના અલગ-અલગ ભાગમાં જે પરિસ્થિતિ છે, તેના પર વિસ્તૃત સમીક્ષા કરી. પોલીસ અને અન્ય એજન્સીઓ શાંતિ સ્થાપવાને સુનિશ્ચિત કરવાનું કામ કરી રહી છે. PM મોદીએ બીજા ટવિટમાં લખ્યું હતું કે હું દરેક ભાઇ-બહેનોને અપીલ કરુ છું કે શાંતિ અને ભાઇચારો બનાવી રાખે.