ભારતમાં કોરોના વાયરસનાં વધતાં કેસની વચ્ચે આજે પીએમ મોદીએ વિવિધ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં જે રાજ્યોમાં કોરોના વાયરસનાં કેસમાં વધારો થયો છે તે રાજ્યનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ મોટું નિવેદન આપ્યું છે.
વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સાથે પીએમની બેઠક
વેક્સિન ક્યારે આવશે તે વૈજ્ઞાનિકોના હાથમાં, આપણે કોરોના પર કામ કરો : પીએમ મોદી
વેક્સિનની પ્રાથમિકતા પર આપણે બધા સાથે નિર્ણય લઈશું : પીએમ મોદી
લોકોની બેદરકારી પર પીએમ મોદીની ટકોર
પીએમ મોદીએ કહ્યું કે તહેવારો પહેલા પણ હાથ જોડીને પ્રાર્થના કરવામાં આવી કે બેદરકાર ન થાઓ. વેક્સિન પર જેમને કામ કરવાનું છે તે કરશે આપણે તો કોરોના પર જ કામ કરવાનું છે.
વેક્સિન મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે ભારત સરકાર દરેક ડેવલપમેન્ટ પર ધ્યાન રાખી રહી છે. હજુ એ નક્કી નથી કે વેક્સિનના એક ડોઝ હશે કે વધારે હશે, હજુ એ પણ નક્કી નથી કે કઈ વેક્સિનની કિંમત કેટલી હશે. કારણ કે આ બધામાં આપણે વૈશ્વિક સંદર્ભમાં જ આગળ વધવું પડશે. ભારત પાસે વેક્સિનને લઈને જે અનુભવ છે તે દુનિયાનાં કોઈ પણ દેશ પાસે નથી. વેક્સિન પહેલા કોને આપવામાં આવશે તે મુદ્દે પણ આપણે બધા એ ભેગા થઇને કરીશું અને રાજ્યોની સલાહ પણ લેવામાં આવશે.
બધાને કોરોના પર કામ કરવા માટે ટકોર
પીએમ મોદીએ કહ્યું કે આપણા તહેવારોમાં પણ લોકોને પ્રાર્થના કરવામાં આવી હતી કે લોકો બેદરકારી દાખવે નહીં. તેમણે કહ્યું કે મીડિયામાં જે ચાલે છે તે અલગ હોય છે આપણે તો સિસ્ટમનો હિસ્સો છે તે પ્રમાણે ચાલવું પડે છે. દેશના સંગઠિત પ્રયત્નોએ આ પડકારનો સામનો કર્યો છે. ભારતમાં રીકવરી રેટમાં દુનિયામાં સારી પરિસ્થિતિમાં છે. દેશમાં ટેસ્ટિંગ માટે એક મોટું કામ થઇ રહ્યું છે, પીએમ કેર્સમાં માધ્યમથી વેન્ટીલેટર ઉપલબ્ધ કરાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.
ચોથા ચરણમાં લોકોએ કરી બેદરકારી
પીએમ મોદીએ કહ્યું કે હવે દેશ પાસે એક પ્રયાપ્ત ડેટા છે અને તેના માટે રણનીતિ બનાવવામાં મદદરૂપ રહેશે. ભારતમાં પહેલા ચરણમાં લોકોમાં ભયનો માહોલ હતો પછી બીજા ચરણમાં બીમારીના કારણે સમાજથી દૂર થવાનો ડર દેખાવા લાગ્યો જોકે તેમાંથી લોકો ધીમે ધીમે સમજ્યા અને બહાર આવ્યા. હવે ત્રીજા ચરણમાં લોકો સામેથી સ્વીકારી રહ્યા હતા અને બીમારી પણ સ્વીકારવા લાગ્યા. જોકે કોરોનાંથી સાજા થવાનો રેટ વધ્યો ત્યારે લોકો એમ સમજવા લાગ્યા કે આ વાયરસ ગંભીર નથી અને તેના કારણે જે લાપરવાહી વધવા લાગી.