પીએમ મોદીએ સંબોધનમાં સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવી. સરદાર પટેલે વર્તમાન ભારતનું નિર્માણ કર્યું તેમ શરૂઆત કરીને કેવડિયાથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ છે.
સરહદ પર માતઓએ પોતાના લાલ ગુમાવ્યા છે
પીએમ મોદીએ મહર્ષિ વાલ્મિકીને યાદ કર્યા
પોલીસ જવાનોએ કોરોના કાળમાં ખુબ સારુ કામ કર્યુ છે
પીએમ મોદીએ કેવડિયા ખાતેના સંબોધનમાં મહર્ષિ વાલ્મિકી જયંતી નિમિત્તે યાદ કર્યાં. પીએમ મોદીએ કહ્યું વાલ્મિકીએ ભારતને ઉત્કર્ષ બનાવવાનું કામ કર્યું. ભગવાન રામનો જીવન સંદેશ મહર્ષિ વાલ્મિકીએ કંડાર્યો. વાલ્મિકીએ રાષ્ટ્ર ભાવના જગાડવાનું કામ કર્યું હતું.
આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી મળી રહી છે, હું 130 દેશવાસીઓને અભિનંદન આપું છું. આજે સંયોગ છે કે, આજે મહર્ષી વાલ્મિકીની જયંતિ છે, ભગવાન રામના આદર્શ અને તેમના સંસ્કાર આજે ભારતના દરેક ખૂણામાં પહોંચ્યા છે, તેનો શ્રેય મહર્ષી વાલ્મીકીને જાય છે, હું આ દિવસની લોકોને શુભકામનાઓ આપુ છું
કોરોના સામે આખો દેશ એકઠો થઈને લડ્યો
કોરોનાએ આખા વિશ્વમાં માનવજાતને પ્રભાવિત કરી છે, પરંતુ 130 કરોડ દેશવાસીઓએ સામૂહિક ઇચ્છા શક્તિને સાબિત કરી છે, તે અભૂતપૂર્વ છે, કોરોના વોરિયર્સના સન્માનમાં 130 કરોડ દેશવાસીઓએ એક થયો છે.
પોલીસ જવાનોએ કોરોના કાળમાં ખુબ સારુ કામ કર્યુ છે
35 હજાર પોલીસ જવાનોએ આઝાદી પછી બલિદાન આપ્યું છે, પરંતુ કોરોના કાળમાં લોકોની જિંદગી બચાવવા માટે પોલીસ જવાનોએ સેવા કરતા કરતા ખુદને સમર્પિત કર્યાં છે. ઇતિહાસ ક્યારેય આ સ્વર્ણિમ પળને ક્યારેય નહીં ભૂલાવે. દેશની એકતાની જ તાકાત હતી, કે ભારતે તેનો મજબૂતીથી મુકાબલો કર્યો છે અને નવા માર્ગે આગળ વધી રહ્યો છે
સરહદ પર માતઓએ પોતાના લાલ ગુમાવ્યા છે
સીમા પર પણ ભારતની નજર અને નજરીયા બદલાઇ ગયા છે. ભારતની ભૂમી પર નજર કરનારાઓને જડબાતોડ જવાબ આપવાની તાકાત ધરાવે છે -કેટલાક દેશો આતંકવાદના સમર્થનમાં આગળ આવી ગયા છે, તે વિશ્વ અને શાંતિ માટે વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. દરેક સરકારોને આતંકવા સામે એકજૂથ થવાની જરૂર છે.આતંકવાદ હિંસાથી ક્યારેય કોઇનું કલ્યાણ થઇ શકતુ નથી, ભારત ઘણા વર્ષોથી આતંકવાદથી પીડિત રહ્યું છે, ભારતે હજારો જવાનો ખોયા છે, માતઓએ પોતાના લાલ ગુમાવ્યા છે.ભારતે આતંકવાદને હંમશા પોતાની એકતા અને દ્રઢ્ઢ ઇચ્છા શક્તિથી મુકાબલો કર્યો છે અને હરાવ્યો છે