વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધી દેશના બધા જ બેઘર લોકોને પાકું મકાન આપવાના લક્ષ્ય સાથે એક મહત્વનું પગલું ભર્યું છે. આ જ દિશામાં આજે લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે પીએમ મોદીએ કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું હતું.
રમકડાંની જેમ સ્ટ્રક્ચરને જોડીને બનાવવામાં આવશે ઘર : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટ આધુનિક ટેકનિક અને ઇનોવેટિવ પ્રોસેસ સાથે બનશે. આ પ્રોજેક્ટમાં ખૂબ ઓછા સમયમાં વધારે સસ્તા અને આરામદાયક ઘર તૈયાર કરવામાં આવશે. આ ઘરોની ખાસિયત વિશે પીએમ મોદીએ કહ્યું કે ઈન્દોરમાં જે ઘર બની રહ્યા છે તેમાં ઈંટ અને સિમેન્ટ નહીં પણ પ્રિ ફેબ્રિકેટેડ સેન્ડવીચ પેનલનો ઉપયોગ કરવામાં આવશે.
ફ્રાંસની ટેકનિકથી બનાવાશે ઘર
રાજકોટમાં જે ઘર બની રહ્યા છે જેમાં ટનલના મારફતે મોનોલિથિક કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવશે, ફ્રાંસની ટેકનિકના કારણે કાર્યમાં ગતિ મળશે અને ઘર આવનાર આફતોને વધારે સક્ષમતાથી સામનો કરશે.
દીવાલો પર પ્લાસ્ટર કે પેન્ટની જરૂર નહીં પડે
પીએમ મોદીએ વધુમાં આ ઘરોમાં ખૂબ ઓછો સમય લાગશે તથા આ ઘર હવા-ઉજાસથી ભરપૂર અને સુરક્ષિત હશે. લખનૌમાં જે ઘર બની રહ્યા છે તેમાં કેનેડાની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહયો છે જેથી આ ઘરોમાં પહેલેથી દીવાલો ઊભી કરવામાં આવશે તથા તે દીવાલો પર પ્લાસ્ટર કે પેન્ટ કરવાની પણ જરૂર નહીં પડે.
અગરતલામાં જે ઘર બની રહ્યા છે તેમાં સ્ટીલ ફ્રેમ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે અને આ ટેકનિક ન્યૂઝીલેન્ડની છે અને તેના કારણે ભૂકંપનો ખતરો પણ ઓછો થશે.
વિદેશોની ટેકનિકથી બની રહ્યા છે આવાસ
ચેન્નાઈમાં અમેરિકા અને ફિનલેન્ડની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે અને તેમાં પ્રિ કાસ્ટ કોન્ક્રીટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવસે. આ ઘર તેજીથી બનશે અને સસ્તા હશે. રાંચીમાં જર્મનીના થ્રીડી કન્સ્ટ્રક્શન સિસ્ટમથી ઘર બનાવવામાં આવશે. આ ઘરમાં દરેક રૂમ જુદા બનશે અન પછી તે સ્ટ્રક્ચરને જોડવામાં આવશે, લેગો બ્લોકના રમકડાંને જોડીએ છે તેમ જોડવામાં આવશે.
શું છે યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધી દેશના બધા જ બેઘર લોકોને પાકું મકાન આપવાના લક્ષ્ય સાથે એક મહત્વનું પગલું ભર્યું છે. આ જ દિશામાં આજે લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને નવા વર્ષમાં આ પહેલો કાર્યક્રમ છે. શહેરી ભારતમાં રહેતા લોકોને આવાસ ઉપલબ્ધ કરાવવા માટે આ યોજના કરવામાં આવી છે જેમાં કેન્દ્ર અને રાજ્ય મળીને ત્રિપુરા, આંધ્ર પ્રદેશ, યુપી, એમપી, ગુજરાત, ઝારખંડ અને તમિલનાડુમાં ગરીબ લોકોને સરકાર સસ્તા મકાન અપાવશે.
પહેલા ઘર ખરીદનારની હાલત હતી ખરાબ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે થોડા વર્ષ પહેલા ઘર ખરીદનારની હાલત ખૂબ ખરાબ હતી અને ઘર બનાવવાના સપના સાકાર કરવું ખૂબ મુશ્કેલ હતું. પૈસા આપવા પર પણ મકાન મળતું ન હતું. ખરીદનાર વ્યક્તિ પૈસા આપી દેતો અને તે બાદ ઘર મળે તેની રાહ જોવી પડતી હતી પણ હવે અમારી સરકારે આ વલણને બદલી નાખી છે.
પીએમ મોદીએ કહ્યું કે ઘરની ચાવી મળે એટલે માત્ર દીવાલોની માલિકી જ નહીં પણ આ ચાવીથી લોકોના વિકાસ અને તેમની પ્રગતિના દ્વાર પણ ખૂલી જાય છે. ઘરની ચાવી મગજના દ્વારને ખોલી નાખે છે અને તેના કારણે લોકોના સપનાઓને પાંખ લાગી જાય છે. ઘરની ચાવી મળવાથી વ્યક્તિને સમાજમાં સન્માન મળે છે.