આઝાદીનો આ અમૃતમહોત્સવ નવી પેઢી માટે અમૃત છે
PM મોદીએ જણાવ્યું હતુ કે, આઝાદીનો અમૃતમહોત્સવ એટલે આત્મનિર્ભરતાનો મહોત્સવ. ભારતમાં મીઠું એટલે વિશ્વાસનું પ્રતીક, મીઠુ શ્રમ અને સમાનતાનું પ્રતિક છે. અંગ્રેજોએ મીઠા પર કર નાખ્યો અને આપણી આત્મનિર્ભરતકા પર ઘા કર્યો હતો. ઐતિહાસિક દાંડીયાત્રાએ જનજનને એક સાથે જોડી દીધા હતા.
PM મોદીની મહત્વની વાત
15 ઓગસ્ટ 2023 સુધી અમૃતમહોત્સવ ચાલશે. આઝાદીના અમૃત મહોત્સવનો આજે પ્રથમ દિવસ છે. એક રાષ્ટ્રરૂપે એક પવિત્ર અવસર છે. આજે આપણે ઇતિહાસનો ભાગ બની રહ્યાં છીએ. દેશની આઝાદીના લડવૈયાઓના ચરણોમાં નમન કરૂ છું. 75 વર્ષમાં દેશના વિકાસ કરનાર લોકોને નમન કરૂ છું. ગુલામીના કલ્પના જ કંપાવી જાય છે. દેશની આઝાદીના લડવૈયાઓના ચરણોમાં નમન કરૂ છું
આઝાદીના અમૃત મહોત્સવ'માં પીએમ મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માને કર્યા યાદ, કહ્યું વર્ષ 2003માં હું તેમની અસ્થિઓને મારા ખભા પર લઈ આવ્યો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 12, 2021
અમૃતમહોત્સવનો શુભાંરભ
Today, is the first day of the Amrit Mahotsav of independence. This Mahotsav has started 75 weeks before 15th August 2022 and will run till 15th August 2023: PM Modi in Ahmedabad pic.twitter.com/wdr3VmJ7de
Gujarat: Prime Minister Narendra Modi sees pictures, magazines & other collections at a special exhibition near Abhay Ghat in Ahmedabad, as part of Amrit Mahotsav programme. pic.twitter.com/hvat05ftaw
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ગાંધી આશ્રમ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને સુતરની આંટી પહેરાવી દાંડીયાત્રના કાર્યક્રમની શરૂઆત કરી હતી.
Gujarat: Prime Minister Narendra Modi pays floral tribute to Mahatma Gandhi at Sabarmati Ashram in Ahmedabad. He will flag off the Dandi March from the Ashram today, as part of Amrit Mahotsav programme to mark the 75 years of India's independence. pic.twitter.com/gDutZrBNzX
પ્રધાનમંત્રીની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. જેમાં 4 DCP, 7 ACP, 16 PI, 50 PSI બંદોબસ્તમાં છે. કુલ 1 હજાર 100 પોલીસકર્મીઓનો બંદોબસ્ત છે. PM મોદી એરપોર્ટથી રિવરફ્રન્ટના રસ્તાથી ગાંધી આશ્રમ પહોંચશે.
આવતા વર્ષે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અવસરને ખાસ બનાવવા માટે મોદી સરકાર દ્વારા અત્યારથી ખાસ આયોજન કરવામાં આવ્યા છે, દેશમાં અત્યારે અમૃત મહોત્સવ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવશે અને અમૃત મહોત્સવમાં આજે દાંડી માર્ચને લીલી ઝંડી બતાવશે.
Gujarat: Padyatris from different parts of the country reach Abhay Ghat in Ahmedabad. PM Modi will flag off the Dandi March from Sabarmati Ashram today, as part of Amrit Mahotsav programme to mark the 75 years of India's independence. pic.twitter.com/oSD9d0J8gx
પીએમ મોદી આજે અમદાવાદ આવી રહ્યા છે જ્યાં ગાંધી આશ્રમથી દાંડી માર્ચની શરૂઆત કરવામાં આવશે. દાંડી પૂલથી આ પ્રતીકાત્મક યાત્રા શરૂ કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાથે જોડાવાના છે.
સાબરમતી ગાંધીઆશ્રમનો 57 એકરમાં વિકાસ કરાશે
અમદાવાદના સાબરમતી ગાંધીઆશ્રમનું સંપૂર્ણપણે નવીનિકરણ કરવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 57 એકરમાં આશરે રૂપિયા 1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધીઆશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે. સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવશે અને તેની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ અપાશે. આ ઉપરાંત અહીં 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવાશે.
હાલનો રસ્તો બંધ કરી વોક વે બનાવવામાં આવશે
આ સિવાય મોરારજી દેસાઇની સમાધિ અભયઘાટનો વિકાસ કરાશે અને સાથે જ ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરાશે. હરિજન આશ્રમ, ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવનનો પણ વિસ્તાર થશે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને તેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલાયો છે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ માટે ગુજરાતના બિમલ પટેલને જ કામગીરી સોંપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીના નવા પાર્લામેન્ટ હાઉસ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઈન કામગીરી બિમલ પટેલે જ સંભાળી છે.