જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયું ત્યારથી ભારતની બેચેની વધી છે અને તે બન્ને દેશો વચ્ચે સમાધાન કરાવવા માગે છે.
ફરી એકવાર પુતિન સાથે વાત કરી શકે છે PM મોદી
આજે રાત્રે પુતિન સાથે વાત કરી શકે PM મોદી-સૂત્ર
રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે સાતમો દિવસ
રણે ચડેલા રશિયા અને યુક્રેનને શાંતિને માર્ગે પાછા લાવવા ભારત પ્રયાસરત છે. આ કડીમાં પ્રધાનમંત્રી મોદીએ બીજી વાર રશિયન પ્રેસિડન્ટ પુતિનને ફોન ઘુમાવ્યો હતો અને તેમણે તેમને શાંતિની અપીલ કરી હતી. પીએમ મોદીએ પુતિનને સંવાદ અને મંત્રણા દ્વારા યુદ્ધનો ઉકેલ લાવવાનો કહ્યું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ભારત કોઈ પણ ભોગે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા કરાવવા આતુર છે.
ખારકીવમાં ફસાયેલા ભારતીયોને લઈને થઈ ચર્ચા
પ્રધાનમંત્રી મોદીએ પુતિન સાથે ખારકીવ અને ત્યાં ફસાયેલા ભારતીયોની સ્થિતિને લઈને વાત કરી હતી. પીએમ મોદીએ પુતિનને તમામ ભારતીયોને સહિસલામત બહાર કાઢવા દેવાની પણ અપીલ કરી હતી.
ભારતીય નાગિરકોની સલામત વાપસીના મુદ્દે પણ ચર્ચા
પુતિન અને મોદીએ યુક્રેન યુદ્ધની સ્થિતિની સમીક્ષા કરી. બન્ને નેતાઓએ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીય નાગિરકોની સલામત વાપસીના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
PM Narendra Modi spoke on phone today with Russian President Vladimir Putin. The leaders reviewed the situation in Ukraine, especially in Kharkiv where many Indian students are stuck. They discussed the safe evacuation of the Indian nationals from the conflict areas.
રશિયા અને યુક્રેન શાંતિને માર્ગે પાછા વળે તે માટેની કોઈ કસર ભારત રહેવા દેવા માગતો નથી અને ખુદ પીએમ મોદી પણ આ બાબતે ખૂબ એક્ટિવ છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ બીજી વાર રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી.
Prime Minister has been speaking to leaders of several countries. We share with you whenever such talks take place. I would not like to say anything beforehand: MEA Spokesperson Arindam Bagchi when asked if PM Modi will speak to Russian President Vladimir Putin again tonight pic.twitter.com/CjwtXfmhlY
વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને પૂછવામાં આવ્યું કે પીએમ મોદીએ યુક્રેનને લઈને કેટલાક દેશોના નેતાઓ સાથે વાત કરી છે. શું PM મોદી આજે રાત્રે ફરીથી રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરશે? તેના જવાબમાં બાગચીએ કહ્યું કે પીએમ સતત વિવિધ દેશોના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. જો આવી કોઈ વાતચીત થશે તો અમે તમારી સાથે માહિતી શેર કરીશું. તેના વિશે અગાઉથી વાત કરવી યોગ્ય રહેશે નહીં.
પહેલા પણ કરી ચૂક્યા છે વાતચીત
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ યુક્રેન સંકટ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે સમગ્ર મામલે ટેલિફોનિક વાતચીત કરી ચૂક્યા છે. આ વાતચીતમાં પ્રધાનમંત્રીએ પુતિનને વાતચીતના માધ્યમથી સમગ્ર મામલાને ઉકેલવા અંગે મંથન કર્યું હતું. તો ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે આજરોજ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ સાથે ફરી એકવાર વાતચીત કરી શકે છે.
આજે જ આપ્યું છે ઓપરેશન ગંગાને લઈને નિવેદન
PM મોદીએ એક વાર ફરી ઉત્તર પ્રદેશની ચૂંટણી રેલીમાં યુક્રેન-રશિયા સંકટનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનભદ્રમાં એક જનસભાને સંબોધતા કહ્યું કે, 'ભારતનું આ વધતું સામર્થ્ય છે કે, અમે યુક્રેનમાં ફસાયેલા આપણા દેશના નાગરિકોને બચાવવા માટે આટલું મોટું અભિયાન (operation ganga) ચલાવી રહ્યાં છીએ. ઓપરેશન ગંગા હેઠળ હજારો નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યાં.'
#WATCH | We now estimate that nearly 17,000 Indian nationals have left Ukraine borders since our advisories were issued in the last week of January: Arindam Bagchi, MEA spokesperson pic.twitter.com/6Vf0jI3X5X
વધુમાં તેમણે જણાવ્યું કે, 'સંકટમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત નીકાળવા માટે આપણી સેના અને વાયુસેનાને પણ તૈનાત કરી દેવાઇ છે. આજે હું દેશની જનતાને પણ ખાતરી આપું છું કે, ભારત સરકાર તેના નાગરિકોની સુરક્ષિત વાપસી માટે કોઈ જ કસર નહીં છોડે.'
ખારકીવમાં રહેલા ભારતીયો તત્કાળ શહેર ખાલી કરે-ભારતીય વિદેશ મંત્રાલય
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સાતમા દિવસે વિદેશ મંત્રાલય દ્વારા નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઈઝરી મુજબ ખારકીવમાં હાજર તમામ ભારતીયોએ પોતાની સુરક્ષા માટે તાત્કાલિક ખારકીવ શહેર છોડીને જવું પડશે.વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે સાંજે જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ખારકીવમાં સ્થિતિ ખરાબ છે, તેથી ભારતના તમામ વિદ્યાર્થીઓ અને ત્યાં ફસાયેલા લોકોને તાત્કાલિક ખારકીવ શહેર છોડવાની સલાહ આપવામાં આવે છે.
આજે અન્ય એક વિદ્યાર્થીનું થયું છે મૃત્યુ
યૂક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે ભારત માટે ઘણા ખરાબ સમાચાર સામે આવ્યા છે. યુક્રેન યુદ્ધમાં હવે પંજાબના વિદ્યાર્થીનું મોત થયું છે.પંજાબના રહેવાસી ચંદન જિંદાલ નામના 22 વર્ષીય વિદ્યાર્થીનું બુધવારે મોત થયું હતું.