રશિયા-યુક્રેન કટોકટી મામલે પીએમ એક્શનમાં આવ્યાં છે. PM મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે.
રશિયા-યુક્રેન કટોકટી મામલે PM એક્શનમાં
PM મોદીએ પુતિન સાથે ફોન પર કરી વાતચીત
રાષ્ટ્રપતિ પુતિને યૂક્રેનના સંબંધમાં હાલના ઘટનાક્રમ અંગે આપી માહિતી
રશિયા-યુક્રેન કટોકટી મામલે ભારત સરકાર એલર્ટ થઈ છે. આ મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. બેઠકમાં યુક્રેન અને રશિયા વચ્ચેના વોર સંબંધિત ચર્ચા થઈ. આ બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ રાત્રે રશિયન પ્રેસિડન્ટ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત અંગે PMOએ માહિતી આપી છે.
વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવો જોઈએઃ PM મોદી
પ્રધાનમંત્રી મોદીએ ભાર આપીને કહ્યું કે, વાતચીત દ્વારા કોઈ ઉકેલ લાવી શકાય છે. કુટનીતિ દ્વારા જ શાંતિ સ્થાપિત કરી શકાય છે. ત્યારે પીએમ મોદીએ પુતિનની સામે ભારતીયોની સુરક્ષાનો મુદ્દે ઉઠાવ્યો છે. આ સિવાય પીએમએ હિંસા છોડવાની વાત પણ કરી છે.
PM Modi and President Putin agreed that their officials and diplomatic teams would continue to maintain regular contacts on issues of topical interest: PMO
આ સિવાય પ્રધાનમંત્રીએ યૂક્રેનમાં ભારતીય નાગરિકો, તેમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષાના સંબંધમાં ભારતની ચિંતાઓ અંગે પુતિનને અવગત કર્યા અને જણાવ્યું કે, ભારત તેમને સુરક્ષિત બહાર કાઢવા અને ભારત ફરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. સ્પષ્ટ કરી દીધું કે ત્યાં ફંસાયેલા ભારતીયોની સુરક્ષા ભારત સરકાર માટે સૌથી વધુ જરૂરી છે. બન્ને નેતાઓએ સહમતિ વ્યક્ત કરી અને તેમના અધિકારી અને રાજદૂતોના હિતોના મુદ્દા પર નિયમિત સંપર્ક બનાવી રાખશે.
યુદ્ધથી કોઇપણ પ્રકારનું સમાધાન નહીં નિકળેઃ પીએમ મોદી
25 મિનિટની વાતચીતમાં પીએમ મોદીએ સૌથી વધુ આ વાત પર ભાર આપ્યો કે યુદ્ધથી કોઇપણ પ્રકારનું સમાધાન નહીં નિકળે. પીએમ મોદીના અનુસાર, જો રશિયાના નાટો દેશો સાથે વિવાદ છે તો માત્ર વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. પ્રધાનમંત્રીએ હિંસાને તાત્કાલિક સમાપ્ત કરવાની અપીલ કરી અને ડિપ્લોમેટિક વાતચીત અને વાતચીતના રસ્તે પરત ફરવા માટે તમામ પક્ષોને પ્રયાસ કરવા આહ્વાન કર્યું.
પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ શબ્દોમાં યુક્રેનમાં ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓની સલામતી અંગેની ભારતની ચિંતાઓ વિશે રશિયન પ્રમુખ પુતિનને જાણ કરી હતી.
Prime Minister Modi also sensitised the Russian President Putin about India's concerns regarding the safety of the Indian citizens in Ukraine, especially students, and conveyed that India attaches the highest priority to their safe exit and return to India: PMO
વાતચીતના અંતમાં બન્ને નેતાઓમાં એ વાત પર સહમતિ બની કે આગળ પણ તમામ મુદ્દાઓ પર મંથન કરવામાં આવશે અને કુટનીતિ ચેનલને મજબૂત કરવાનું કામ કરવામાં આવશે.
PM Narendra Modi speaks to Russian President Vladimir Putin
Pres Putin briefed PM about the recent developments regarding Ukraine. PM reiterated his long-standing conviction that the differences between Russia & NATO can only be resolved through honest and sincere dialogue: PMO
બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પ્રધાનમંત્રી કાર્યાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સહિત કેટલાક મંત્રીઓ હાજર રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે યૂક્રેને ભારત પાસે મદદ માગી હતી.
રશિયાના હુમલાથી દુનિયાની અર્થવ્યવસ્થા તબાહ થઈ ગઈ છે. કાચા તેલની કિંમતમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ભારત સરકાર પણ એક્શનમાં આવી છે.