પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ દિવાળીના પર્વોની આસપાસ ઉત્તરાખંડ યાત્રા કરી જેમાં તેમણે કેદારનાથમાં પૂજા સહિત બદ્રી વિશાળનાં દર્શન પણ કર્યા અને ત્યારબાગ પીએમએ કેટલાય વિકાસલક્ષી કાર્યોનું ઉદ્ગાટન કર્યું. પીએમએ ચીન સીમા પર આવેલ દેશનાં સૌથી છેલ્લાં ગામ માળામાં જનસભા કરી અને 11300 ફીટની ઊંચાઇ પર રાતે વિશ્રામ પણ કર્યો.
ભારતનાં છેલ્લાં ગામમાં રાત રોકાયા PM
મજૂરનાં હાથની રાંધેલ ખિચડી જમી
ટીનની છત નીચે ઠંડીમાં વિતાવી રાત
માઇનસ ડિગ્રીની ઠંડીમાં રહ્યાં PM
શૂન્યથી નીચે જતાં આ તાપમાનવાળા વિસ્તારમાં પીએમએ અતિ સાધારણ રીતે પોતાની રાત વ્યતિત કરી. માળા પાસે આવેલ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના એક નાનકડાં અસ્થાયી સ્થળ પર રાત રહ્યાં.
જે ઘરમાં રહ્યાં તેની છત ટીનની હતી
પીએમ મોદી માળાનાં જે ગામનાં એક અસ્થાયી મકાનમાં રહ્યાં તેની છત ટીનની બનેલી હતી. અને રાત્રે ભોજનમાં દેશના વડાપ્રધાને ખિચડીનું સેવન કર્યું હતું. પીએમ એ ખિચડી સિવાય મંડવાની રોટલી, સ્થાનિક ચટણી અને ખીર પણ જમી. આ જમાવાનું બીઆરઓ માટે કામ કરતાં એક મજૂરે બનાવ્યું હતું.
બીઆરઓ એ આપી આ માહિતી
બીઆરઓ એ કહ્યું કે અમને તો નવાઇ લાગી જ્યારે અમને કહેવામાં આવ્યું કે પીએમ મોદી અહીં આવી રહ્યાં છે અને રાત અહીં જ વ્યતિત કરશે. આ ડીઇટીનું સંચાલન યંગ અસિસ્ટન્ટ એક્ઝીક્યુટિવ ઑફિસર કરે છે જ્યાં ઇન્ફ્રાસ્ટકચર અતિ સાધારણ છે ઇને લગભગ ના ને બરાબર સુવિધાઓ છે.
માત્ર 72 કલાક પહેલાં કરી જાણ
રિપોર્ટ અનુસાર પીએમએ અહીં આવવાનાં માત્ર 72 કલાક પહેલાં જ સૂચના આપી હતી. બીઆરઓનાં અધિકારીઓને અહીં તૈયારી કરવાનો ખુબ ઓછો સમય મળ્યો હતો. મોદીએ અતિ કઠીન પરિસ્થિતિઓમાં રોડ-રસ્તા બનાવતાં મજૂરો સાથે વાતચીત કરી અને વાતચીત દરમિયાન જ તેમણે એક મજૂરને તેમના માટે જમવાનું બનાવવા કહ્યું.
પ્રધાનમંત્રી માટે કોઇ વિશેષ સામાન લેવાયો નહોતો
અધિકારીએ કહ્યું કે પીએમ મોદી માટે અહીં કોઇ વિશેષ સામાન નહોતો લેવાયો. તેમણએ તે જ રાશનમાંથી જમ્યું કે જેમાંથી અહીંના ડીઇટીનાં રસોડાંમાં હાજર હતું. પ્રશાસને તેમના રહેવા માટે બદ્રીનાથમાં વ્યવસ્થા કરી હતી પરંતુ પીએમ મોદી અને તેમનો અંગત સ્ટાફ ડીઇટીમાં રહ્યાં અને મજૂરોનાં હાથે પકવેલ જમવાનું જમ્યાં.