લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું છે. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, કોરોના કાળમાં જે પ્રકારે ખુદને સંભાળ્યા અને બીજા દેશોને સંભાળવામાં મદદ કરી જે ખુદમાં અભૂતપૂર્વ છે. તો આ દરમિયાન પીએમ મોદીએ કૃષિ કાયદા અંગે પણ નિવેદન આપ્યું.
લોકસભામાં PM મોદીનું સંબોધન
રાષ્ટ્રપતિના અભિભાષણ પર LSમાં સંબોધન
રાજ્યસભા બાદ લોકસભામાં PMનું સંબોધન
રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં PM નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિનું ભાષણ સંકલ્પશક્તિનની ઓળખ. રાષ્ટ્રપતિનું અભિભાષણ દેશમાં આત્મવિશ્વાસ પૈદા કરનારું. સંસદમાં પીએમ મોદીએ કહ્યું કે, આ સદનમાં 15 કલાકથી વધુ ચર્ચા થઇ છે. રાત્રે 12-12 કલાક સુધી ચર્ચા થઇ છે. હું તમામનો આભાર વ્યક્ત કરું છું. મહિલા સાંસદોનો વિશેષ પ્રકારથી આભાર વ્યક્ત કરવા માંગુ છું.
કોંગ્રેસી સાંસદોએ કહ્યું કે ખેડૂતોએ આ કાયદા નહોતા માંગ્યા તો પીએમ મોદીએ આપ્યો આ જવાબ
જ્યારે કોંગ્રેસી સાંસદોએ કહ્યું કે ખેડૂતોએ આ કાયદા નહોતા માંગ્યા તો પીએમ મોદીએ કહ્યું કે, દરેક વસ્તુ જનતાના માંગવા પર મળે એ યોગ્ય નથી. જનતાએ તો આયુષ્માન ભારત યોજના પણ નહોતી માંગી, પરંતુ અમે લઇને આવ્યા. જનધન ખાતા ખોલવા માટે કોઇ આંદોલન નહોતું કરવામાં આવ્યું, પરંતુ અમે યોજના લઇને આવ્યા.
કાયદો લાગૂ થયા બાદ MSP બંધ નથી થયુંઃ PM
પીએમ મોદીએ કહ્યું કે, કાયદા લાગૂ થયા બાદ ન દેશમાં કોઇ માર્કેટ બંધ થઇ, ન MSP બંધ થયું. આ હકિકત છે. એટલું જ નહીં આ કાયદો બન્યા બાદ MSPની ખરીદી પણ વધી છે.
સાચે કોઇ ખામી હોય તો ફેરફાર કરવામાં શું જાય છે: PM
PM મોદીએ કહ્યું કે, આપણે માનીએ છીએ કે જો આમાં સાચે કોઇ ખામી હોય, ખેડૂતોને કોઇ નુકસાન હોય, તો ફેરફાર કરવામાં શું જાય છે. આ દેશ દેશવાસીઓનો છે. અમે ખેડૂતો માટે નિર્ણય કરીએ છીએ, જો કોઇ એવી વાતને યોગ્ય જણાવે છે તો અમને કોઇ સંકોચ નથી.
(પીએમ મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસે લોકસભામાંથી વોક આઉટ કર્યું)
પીએમ મોદીએ ખેડૂતોને પૂછ્યો પ્રશ્ન
પીએમ મોદીએ કહ્યું કે, જે નથી થયું તેનો ડર ફેલાવવામાં આવી રહ્યો છે, આવા રસ્તા આંદોલનજવી અપનાવે છે. હું ખેડૂતોને પૂછવા માંગુ છું કે તેઓ જણાવે કે તેમનો કયો હક છીનવી લેવાયો છે.
કૃષિ ક્ષેત્રમાં સુધારા કરવા જરૂરી છેઃ PM
નવા 3 કૃષિ કાયદા પર PM મોદીએ કહ્યું કે, કોરોનાકાળમાં નવા 3 કૃષિ બિલ લાવ્યા. કૃષિ ક્ષેત્રમાં સુધારા કરવા જરૂરી છે. ખેડૂતોનું જીવન બદલવા પ્રયાસ કરી રહ્યાં છીએ. સારુ હોત કે કાયદાની વાતો પર ચર્ચા થાત. કૃષિ કાયદાઓ પર અફવાઓ ફેલાવવામાં આવી જેનો શિકાર આપણા ખેડૂત ભાઇ થયા. કૃષિ કાયદાઓના રંગ પર ચર્ચા થઇ કે તે બ્લેક કે વાઇટ છે. જો તેના તથ્યો પર ચર્ચા થઇ હોત તો સારૂ હોત. વર્ષોથી આપણું કૃષિ ક્ષેત્ર પડકારો અનુભવી રહ્યું છે. તેને બહાર લાવવા માટે કેટલાક પ્રયાસ કરવા પડશે. કૃષિ ક્ષેત્રના પડકારોને ખતમ કરવા માટે આપણે પ્રયાસ કરવા પડશે.
કૃષિ કાયદામાં સુધારા મહત્વપૂર્ણઃ PM
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, આ કૃષિ કાયદા સુધારાનો સિલસિલો ખુબજ આવશ્યક અને મહત્વપૂર્ણ છે અને વર્ષોથી જે આપણું કૃષિ ક્ષેત્ર પડકાર અનુભવી રહ્યું છે, તેને બહાર લાવવા માટે આપણ સદંતર પ્રયાસ કરવા જ પડશે અને આપણે એક ઇમાનદારીથી પ્રયાસ કર્યો પણ છે.
કોંગ્રેસના હંગામા પર પીએમ મોદીએ કહ્યું કે, અધીર રંજનજી! આ વધુ થઇ રહ્યું છે
અધિર રંજન તરફ ઇશારો કરતા પીએમ મોદીએ કહ્યું કે, દાદાએ પણ ભાષણ કર્યું. તેઓ વધુ પડતા એના પર લાગે લા છે કે પ્રધાનમંત્રી અને તેમના સાથી બંગાળ કેમ જઇ રહ્યા છે. દાદા તો એના પર લાગેલા રહ્યા. દાદાના જ્ઞાનથી અમે વંચિત રહી ગયા. કોંગ્રેસ સાંસદ અધીર રંજન જ્યારે ફરીથી બોલવા લાગ્યા તો પીએમ મોદીએ કહ્યું કે, અધીર રંજનજી આ વધુ થઇ રહ્યું છે. હું તમારુ સન્માન કરું છું પરંતુ આ રીતે ન કરો પ્લીઝ.
(અધિર રંજનના હોબાળથી ગરમ થયા પીએમ મોદી)
દેશ આઝાદીના 75 વર્ષ પૂરા કરશે તે ગર્વની ક્ષણઃ PM
પીએમ મોદીએ કહ્યું કે, આપણે જલ્દીથી આઝાદીના 75 વર્ષ પૂરા કરવાના છીએ. 75 વર્ષનો પડાવ ગર્વ કરનારો અને આગળ વધવાનો મોકો હશે. આઝાદીના 75માં વર્ષમાં આપણે નવા સંકલ્પોની સાથે આગળ વધવાનું છે. સમાજ વ્યવસ્થામાં આપણે ક્યાંય પણ દેશના કોઇ ખૂણમાં હોઇએ, આપણે સૌએ મલીને આઝાદીના આ પર્વથી એક નવી પ્રેરણા પ્રાપ્ત કરીને 2047 જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરી રહ્યું હશે તો આપણો દેશ ક્યાં હોય તેના માટે સંકલ્પ લેવાનું કામ આ પરિસરનું છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, અંગ્રેઝો કહ્યા કરતા હતા કે ભારત કેટલાક દેશોને એક દ્વીપ છે અને કોઇ પણ આને એક નહીં કરી શકે. પરંતુ આજે 75 વર્ષની યાત્રામાં આપણે વિશ્વ માટે એક આશાનું કિરણ બનીને ઉભા છીએ.
પીએમએ કહ્યું કે, કોરોના સંકટ કાળમાં દેશે પોતાનો રસ્તો પસંદ કર્યો અને આજે આપણે દુનિયાની સામે મજબૂતીથી ઉભા છીએ. આ દરમિયાન ભારત તમામ ભ્રમોને તોડીને આગળ વધ્યું છે. કોરોના દરમિયાન જે પ્રકારે પોતાને સંભાળ્યું અને દુનિયાને સંભાળવામાં મદદ કરી તે એક પ્રકારથી ટર્નિંગ પોઇન્ટ છે. જે ભાવનાઓને લઇને આપણે મોટા થયા તે છે સર્વેભવન્તુ નિરામયા, કોરોના કાળમાં ભારતને આને કરીને દેખાડ્યું છે.
રાષ્ટ્રપતિજીનું ભાષણ ભારતના 130 કરોડ ભારતીયોની સંકલ્પ શક્તિને પ્રદર્શિત કરે છે. વિકટ અને વિપરીત પરિસ્થિતિમાં પણ આ દેશ કોઇ પ્રકારથી પોતાનો રસ્તો પસંદ કરે છે, રસ્તો નક્કી કરે છે અને રસ્તા પર ચાલતા સફળતા પ્રાપ્ત કરે છે. આ તમામ રાષ્ટ્રપતિજીએ પોતાના અભિભાષણમાં કહ્યું.