આજે સાંસદમાં બજેટ સત્ર શરુ થવા જઈ રહ્યુ છે. એ પહેલા સંસદ ભવનમાં મીડિયાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતન ઈતિહાસમાં પહેલીવાર થયું કે 2020માં અમે અલગ અલગ પેકેજના રુપમાં 4-5 મીની બજેટ આપવા પડ્યા. 2020માં સતત આનો સિલસિલો ચાલતો રહ્યો છે. આ બજેટને પણ એ 4-5 બજેટની શ્રેણીમાં જોવામાં આવશે.
અભિભાષણનો બહિષ્કાર કરવો રાષ્ટ્રપતિનુ અપમાન કરવા સમાન
સપનાઓને પૂરા કરવા માટે રાષ્ટ્રની સામે સુવર્ણ અવસર આવ્યો છે- પીએમ
આ દશકનું પહેલું સત્ર છે અને ભારતના ઉજવળ ભવિષ્ય માટે બહુ મહત્વનું
સપનાઓને પૂરા કરવા માટે રાષ્ટ્રની સામે સુવર્ણ અવસર આવ્યો છે- પીએમ
અભિભાષણ વિશે જણાવતા પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિના સંદેશને બન્ને સદનના સભ્યો આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આ દશનું પહેલુ સત્ર શરુ થઈ રહ્યું છે. ભારતના ઉજવળ ભવિષ્ય માટે આ દશતો બહું મહતવપૂર્ણ છે. સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા જોવામાં આવેલા સપનાઓને પૂરા કરવા માટે રાષ્ટ્રની સામે સુવર્ણ અવસર આવ્યો છે.
આ દશકનું પહેલું સત્ર છે અને ભારતના ઉજવળ ભવિષ્ય માટે બહુ મહત્વનું
સંસદનું બજેટ સત્ર શુક્રવારે અટલે કે આજથી શરુ થઈ રહ્યુ છે. બજેટ સત્રની શરુઆત શુક્રવારે સવારે રાષ્ટ્રપતિના બન્ને સદનોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાની સાથે થશે અને એક ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવામાં આવશે. કોંગ્રેસ સહિત દેશોની 19 વિપક્ષી દળોએ કૃષિ કાયદાની વિરુદ્ઘ આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રત્યે એકજૂથતા દર્શાવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણના બહિષ્કારનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમિયાન તમામ સાંસદો પાસે સહયોગની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ દશકનું પહેલું સત્ર છે અને ભારતના ઉજવળ ભવિષ્ય માટે બહુ મહત્વનું છે.
અભિભાષણનો બહિષ્કાર કરવો રાષ્ટ્રપતિનુ અપમાન કરવા સમાન
વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરવાના એલાન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે આ લોકતંત્રની ગરિમાન ઓછી કરવા જેવું છે. સંસદીય પ્રણાલીમાં રાષ્ટ્રપતિની પોતાની એક ગરિમા છે અને તેમના અભિભાષણનો બહિષ્કાર કરવો તેમનુ અપમાન કરવા જેવું છે.