બીજેપી (BJP)ના 'સભ્યપદ અભિયાન'ની શરૂઆત કરવા પહોંચેલા પીએમ મોદીએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના બાબતપુર એરપોર્ટ પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું. જ્યા તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા અને પ્રદેશ બીજેપી અધ્યક્ષ મહેન્દ્રનાથ પાન્ડે હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, આજે જે લક્ષ્યની હું આપને વાત કરી રહ્યો છું એ આપને નવા પ્રકારે વિચારવા મજબૂર કરશે, નવું લક્ષ્ય અને નવો ઉત્સાહ ભરશે. નવો સંકલ્પ અને નવા સપના લઇને અમે આગળ વધીશું અને આ મુશ્કેલીઓથી મુક્તિનો માર્ગ છે. એમણે કહ્યું કે, વાત થશે નવા હોંસલાની, નવી સંભાવનાઓની, વિકાસના યજ્ઞની, માં ભારતની સેવાની અને ન્યુ ઇન્ડિયાના સપનાની, આ સપના એક હદ સુધી ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીના લક્ષ્ય સાથે જોડાયેલી છે.
5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીનો સમજાવ્યો અર્થ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરતા કહ્યું કે, કાલે આપે બજેટ વિશે એક વાત સાંભળી અને વાંચી. એક શબ્દ સંભળાઇ રહ્યો છે. તમામે બોલવાનું શરૂ કર્યું છે, 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી. આખરે આ લક્ષ્યનો અર્થ શું છે. લોકોને તેનાથી શું લેવા દેવા છે. આ વિશે જાણવું જરૂરી છે કેમકે ઘણા લોકો તેના પર શંકા કરી રહ્યા છે. એ કહી રહ્યા છે કે ભારતને આ લક્ષ્ય મેળવવું મુશ્કેલ છે. આશા અને નિરાશામાં રહેલા લોકો સુઘી મારા ભાવ પહોંચાડવા માંગું છું.
વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત
પીએમ મોદીએ વારાણસીમાં પૌધારોપણ અભિયાનની શરૂઆત કરાવી છે. આ અભિયાન હેઠળ 22 લાખ છોડ લગાવાશે.
લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રીએ પીએમ મોદીનું કર્યું સ્વાગત
ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અનિલ શાસ્ત્રીના પુત્રે પીએમ મોદીનું વારાણસી એરપોર્ટ પર સ્વાગત કર્યું. પીએમ મોદીએ બાદમાં લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનં અનાવરણ કર્યું.
PM Narendra Modi greeted by son of former Prime Minister of India Lal Bahadur Shastri and Senior Congress leader Anil Shastri at Varanasi airport. PM later inaugurated a statue of Lal Bahadur Shastri. LB Shastri's younger son and BJP leader Sunil Shastri also present pic.twitter.com/3iS9TTbkiI
વડાપ્રધાન મોદીએ વારાણસીમાં પહોંયા. અહીં તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ઉત્તર પ્રહેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાના પુસ્તક ભેટ કરવા તેમનું સ્વાગત કર્યું.
PM Narendra Modi inaugurates a statue of former Prime Minister of India Lal Bahadur Shastri at Varanasi airport pic.twitter.com/xfUriPKZAm
ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અનિલ શાસ્ત્રીના પુત્ર પણ પીએમ મોદીના વારાણસી એરપોર્ટ પર સ્વાગત કર્યું. આપને જણાવીએ કે પીએમ મોદીની સુરક્ષા માટે મુખ્ય પોઇન્ટ પર 6 આઇપીએસ લાગેલા છે. ઉપરાંત 6 એડિશનલ એસપી, 16 ડીએસપીને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
જ્યારે 200 ઇન્સ્પેક્ટર, ઉપરાંત 6 પેરામિલિટ્રી ફોર્સ અને 5 પીએસી કંપની પણ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત 800થી વધારે કોન્સ્ટેબલ, જિલ્લાના ક્યૂઆરટી, સ્પેશિયલ-120 સાથે જ થાનાધ્યક્ષ અને સીઓ પણ ડ્યૂટીમાં તૈનાત કરાયા છે.