ભારતીય જનતા પાર્ટી આજથી એકવાર ફરીથી 'સદસ્યતા અભિયાન' ની શરૂઆત કરવા જઇ રહી છે. બીજેપીનું લક્ષ્ય પાર્ટીના સભ્યોની સંખ્યાને 11 કરોડથી વધારીને 20 કરોડ કરવાની છે. બીજેપીઆ 'સદસ્યતા અભિયાન' દ્વારા પોતાના સભ્યોની સંખ્યામાં 9 કરોડનો વધારો કરવા માંગે છે. આજે (6 જુલાઇ) બીજેપીની માતૃસંસ્થા જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતી છે. બીજેપી તેના પર મેગા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઇ રહી છે.
આજે બીજેપીની આખી ટીમ લીડરશિપ આ મહત્વાકાંક્ષી અભિયાનમાં ઉતરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર કાશીમાં આ કાર્યક્રમની શરુઆત કરશે.
વારાણસીમાં મોદી કરશે શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું છે કે, બીજેપી પોતાની પ્રેરણાના સ્ત્રોત રહેલા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતી પર 'સદસ્યતા અભિયાન' ની શરૂઆત કરવા જઇ રહી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ''કાશીમાં હું આ કાર્યક્રમમાં સામેલ થઇ રહ્યો છું. આ અભિયાન સમાજના તમામ વર્ગના લોકોને બીજેપી પરિવારથી જોડશે, આ અમારી પાર્ટીને મજબૂત કરશે.'' કાશીમાં પીએમ મોદી બીજેપી કાર્યકર્તાઓને પણ સંબોધન કરશે.
On the Jayanti of our inspiration, Dr. Syama Prasad Mookerjee, the @BJP4India Membership Drive will begin. I will be joining the programme in Kashi to mark the same.
This drive will further connect people from all walks of life with the BJP family. It will strengthen our party.
આ દરમિયાન કાશીમાં બીજેપીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે. શુક્રવારે લખનઉ પહોંચેલા જેપી નડ્ડાએ કહ્યું કે પાર્ટીનું લક્ષ્ય છે કે અમે પાર્ટી સાથે જોડાયેલા સભ્યોની સંખ્યાને 11 કરોડથી વધારીને 20 કરોડ સુધી લઇ જવાની છે.
તેલગાણામાં અમિત શાહ
બીજેપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેલંગાણામાં આ કાર્યક્રમની શરૂઆત કરશે. અમિત શાહ તેલંગાણામાં રંગારેડ્ડી જિલ્લામાં 'ભાજપા સંગઠન પર્વ 2019 સદસ્યતા અભિયાન' નો શુભારંભ કરાવશે.