વડાપ્રધાન મોદી બે દિવસના સાઉદી અરબના પ્રવાસે છે. મંગળવારે ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટિવ ફોરમને સંબોધિત કરતા તેમણે રોકાણ વધારવા અને વિકાસ માટે પાંચ ટ્રેન્ડ્સ બતાવ્યા છે. તેમા ટેક્નોલોજી અને ઇનોવેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન રિસોર્સ, પર્યાવરણ અને બિઝનેસ ફ્રેન્ડ્લી ગવર્નન્સ સામેલ છે.
વડાપ્રધાન મોદી બે દિવસના સાઉદી અરબના પ્રવાસે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત આ સમયે રોકાણ માટે સૌથી યોગ્ય જગ્યા
પીએમ મોદીએ પાંચ ટ્રે્ડ્સની વાત કરી, જેના માધ્યમથી વિકાસને નવી ગતિ આપી શકાય છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત આ સમયે રોકાણ માટે સૌથી યોગ્ય જગ્યા છે. અને ભારત પોતાની સાથે દુનિયાને લઇને ચાલવા માંગે છે. તેમણે કહ્યું કે, આપના વચ્ચે મને પણ પોઝિટિવ એનર્જી મળી રહી છે. આ ફોરમનો ઉદ્દેશ્ય માત્ર અર્થવ્યવસ્થાની ચર્ચા કરવાનો નથી, પરંતુ તેમા વિશ્વ કલ્યાણનો રસ્તો શોધવાનો છે. આ કારણે જ આ ડાયનેમિક બિઝનેસ વર્લ્ડ કેલેન્ડરમાં આ ફોરમ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.
નોંધનીય છે કે, પીએમ મોદીએ પાંચ ટ્રે્ડ્સની વાત કરી, જેના માધ્યમથી વિકાસને નવી ગતિ આપી શકાય છે. એમણે કહ્યું કે, ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટિવમાં આજે આપણી અપેક્ષાઓ અને લક્ષ્યો પર વાત કરવાનો અવસર મળ્યો. આવનારા પાંચ વર્ષમાં ભારતે પોતાની અર્થવ્યવસ્થાને બેગણી કરી પાંચ ટ્રિલિયન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારતમાં અમે જ્યારે વિકાસને ગતિ આપવા માંગીએ છીએ ત્યારે ઉભરતા ટ્રે્ડ્સને સમજવા પડશે.
ટેક્નોલોજી અને ઇનોવેશન
ભારતમાં નવી ટેક્નોલોજી અપનાવવા અને ફ્યૂચર ઇનોવેશનનો અવસર પેદા થયો છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ બની ગયું છે. અમારા ઘણા સ્ટાર્ટઅપ વૈશ્વિક સ્તરે રોકાણ કરી રહ્યા છે. વિશ્વના તમામ રોકાણકારોને મારો અનુરોધ છે કે આપ અમારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો લાભ ઉઠાવો.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ
એમણે કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ સતત વધી રહ્યું છે. ભારતમાં અમે કેટલાક વર્ષોમાં 1.5 ટ્રિલિયન ડોલરનું રોકાણનું લક્ષ્ય રાખ્યું છે. અમારો ઉદ્દેશ્ય વન પાવર ગ્રિડ, વન નેશન વન વાટર ગ્રિડ જેવા પ્રયાસથી અમે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇન્ટિગ્રેટ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. દરેક વ્યક્તિને ઘર અને પાણી પુરુ પાડવાનું લક્ષ્ય રાખ્યું છે. તેથી રોકાણકારોને લાંબો સમય સુધી રિટર્ન મળી રહેશે.
હ્યૂમન રિસોર્ટમાં બદલાવ
એમણે કહ્યુ કે, કાનૂનનું પાલન કરનાર, પરિશ્રમી અને કુશળ કર્મીઓએ ભારતમં અનોખી ઓળખ બનાવી છે. કૌશલ વિકાસ માટે ભારત સરકારે મોટો કાર્યક્રમ તૈયાર કર્યો છે. ભારતમાં રોકાણકારોને સ્કિલ મેનપાવર મળશે.
પર્યાવરણના પ્રત્યે પ્રતિબદ્ધતા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ આપણા સમયની જરૂર છે. ઉર્જાની ખપત અને બચત બંને મહત્વપૂર્ણ બનશે. ભારતમાં અમે ગેસ અને ઓઇલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટુ રોકાણ કરી રહ્યા છીએ. 2029 સુધીમાં આ ક્ષેત્રમાં મોટુ રોકાણનું લક્ષ્ય છે. અરામકો રિફાઇનરીમાં પણ રોકાણનો નિર્ણય લીધો છે.
PM Narendra Modi at Future Investment Initiative (FII), Saudi Arabia: The importance of the smallest of countries is increasing today. We will have to take a step towards strengthening this multi-polar world and think what contribution are we making for the welfare of the mankind https://t.co/peY8nbZlsn
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત વિદેશી રોકાણ માટે સૌથી સારી જગ્યા છે. મારી પ્રાથમિકતા મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ પર રહી છે. એફડીઆઇ પોલિસીને સુગમ બનાવ્યા બાદ ભારત વિદેશી રોકાણ માટે મોટુ હબ બની ગયું છે. ગત વર્ષે જેટલુ રોકાણ થયું તે ગત 20 વર્ષમાં થયેલા રોકાણનું લગભગ અડધુ છે. નોંધનીય છે કે, પીએમ મોદીએ કહ્યું કે, 2022માં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થશે. અમે ન્યૂ ઇન્ડિયા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, આ ફોરમને દાવોસ ઓફ ધ ડેઝર્ટ કહેવામાં આવે છે. ગત શતાબ્દીમાં સાઉદી અરબના લોકોએ પોતાના પરિશ્રમથી અહીંની રેતને પણ સોનું બનાવી દીધી. આપે ભવિષ્યની ચિંતા કરી અને માનવતાનો ખ્યાલ રાખ્યો. હું ક્રાઉન પ્રિન્સને આ વાત માટે ધન્યવાદ પાઠવું છું. અમારી સાઉદી અરબ સાથે હંમેશાથી રહી છે.