ઝારખંડના એક ગામમાં લોકોએ રસ્તો બનાવવા માટે પ્રધાનમંત્રી મોદીને ફરીયાદ કરી હતી. જરૂરીયાતમંદોની મદદ માટે સોનુ સૂદને પણ મદદ માટે ગુહાર લગાવી પરંતુ કંઈ ન થયું. હિમ્મત કરીને ગામના યુવાનોએ આ કામ કરવાનું શરૂ કરી દીધુ. તેમણે પોતે જ રસ્તો બનાવવાની જવાબદારી ઉપાડી લીધી.
જાણો ક્યાની છે આ ઘટના?
એક રિપોર્ટ અનુસાર આ મામલો ઝારખંડના ગોમિયા પ્રખંડના અમન ગામની છે. આ ગામ ઉગ્રવાદ પ્રભાવિત છે. અહીંના યુવક સંજય મહતોએ જણાવ્યું કે આ ગામ પહાડો પર વસેલું છે. લોકોએ પંચાયત, સચિવાલય અને બજાર આવવા માટે 20થી 25 કિલોમીટરની ફરીને જવું પડે છે. અમનથી દનરા સુધી રસ્તો બનાવવાના કારણે દૂરી ઘટીને પાંચ કિમી થઈ ગઈ છે.
પહેલા માંગી હતી મદદ
ખબરો અનુસાર આ મામલાને લઈને ગામના લોકોએ પીએમ મોદીથી લઈને સોનુ સૂદને પણ મદદ માટે કહ્યું હતું. કોઈએ મદદ ન કરતા તેમણે જાતે જ રસ્તો બનાવવાનું શરૂ કરી દીધી હતું. લોકોનું માનવું છે કે એક વખત આ રસ્તો બની ગયો તો લોકોને ખૂબ સગવડ મળશે અને ટાઈમ પણ બચશે. ગ્રામીણોનું માનવું છે કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેશે તો સીએમ હેમંત સોરેન પર ધ્યાન આપો.