ટોય કેથોન 2021 પર વડાપ્રધાન મોદીએ આજે સંબોધન આપ્યું. આ સંબોધનમાં તેમણે કૂપોષણને દૂર કરવાની વાત કરી સાથેજ તેમણે રમકડા ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વિકસાવવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા
વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોઘન આપ્યું
ટોય કેથોન 2021 પર આપ્યું સંબોઘન
કુપોષણ મુદ્દે સવિસ્તાર ચર્ચા કરી
વડાપ્રધાન મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ટોય કેથોન 2021 પર સંબોધન આપ્યું. દેશમાં સ્પોર્ટસનું મહત્વ દરેક વ્યક્તિ સમજે તે માટે પી.એમ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે અત્યારસુધીમાં મોટી સંખ્યામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે. પરંતું હવે તેઓ રમતના ઉદ્યોગોને વધારવા માટે મહેનત કરી રહ્યા છે.
જંકફૂડનો ઉલ્લેખ
જોકે આ સંબોધનમાં વડાપ્રધાને જંકફૂડના ફાયદાઓ તેમજ નુકશાન વીશે પણ માહિતી આપી હતી. જંકફૂડ મુદ્દે તેમણે સવિસ્તાર ચર્ચા કરી હતી. સાથેજ તેમણે કૂપોષણને દૂર કરવા પણ લોકોને અપીલ કરી જેમા તેમણે જણાવ્યું કે નાના બાળકોએ હંમેશા પૌષ્ટિક આહાર લેવો જોઈએ તેઓ પૌષ્ટિક આહાર નથી લેતા જેના કારણે તેઓ કુપોષણનો શિકાર બને છે.
રમકડા ઉદ્યોગ વિકસાવવાની ચર્ચા
કુપોષણ મામલે વડાપ્રાધને કહ્યું કે બાળકોને રમતો દ્વારા પણ તેનાથી સતર્ક કરી શકાય છે. રમકડા ઉદ્યોગમાં જોડાયેલા લોકો સાથે તેમણે પી.એમ મોદીએ ચર્ચા કરી કે ઉદ્યોગને કેવી રીતે વિકસાવી શકાય. ઉપરાંત તેમણે કહ્યું કે રમકડા અને રમતોના નવા વિચારો દુનિયામાં ફેલાવવા જોઈએ.
ટ્વીટ કરીને માહિતી આપી હતી
આપને જણાવી દઈએ શિક્ષા મંત્રાલય, બાળ વિકાસ મંત્રાલય, એમ.એસ.એમ.ઈ મંત્રાલય અને કપડા મંત્રાલયની સૂચના દ્વારા ટોય કેથોનનું આયોજન કરવામાં આવે છે. આ સંબોધન કરતા પહેલા પી.એમ મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી કે તેઓ 24 જૂનના રોજ ટોય કેથોનને સંબોધીત કરશે અને આ સંબોધનમાં તેમણે ઘણી મહત્વની વાતો કરી હતી.
વૈશ્વિક સ્તરે ઉદ્યોગ આગળ વધે તેવું લક્ષ્ય
ઉલ્લેખનીય છે કે રમકડા ઉદ્યોગનો વિકાસ થાય તો ભારતને ઘણો ફાયદો થઈ શકે છે. કારણકે તેના કારણે દેશની અર્થવ્યવસ્થા ઉપર સારી અસર રહેશે. ટોય કેથોન 2021ન ગોલ એજ છે કે રમકડા ઉદ્યોગનો ઝડપથી વિકાસ થાય. જેથી વૈશ્વિક સ્તરે પણ ભારતનો રમકડા ઉદ્યોગ અન્ય દેશોની તુલનામાં આગલ રહે.