ગાંધી પરિવારના ઘણા નજીક ગણાતાં અને ઇન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ પુલવામા હુમલા પર વિવાદીત નિવેદન આપતાં કહ્યું કે આ હુમલાને લઇને આખા પાકિસ્તાનને દોષી ન કહી શકાય. ઇન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાના નિવેદન પર પલટવાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિવેદન સેનાનું અપમાન છે.
કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદન પર વડાપ્રધાન મોદીએ નિશાન સાધ્યું. પીએમ મોદીએ સામ પિત્રોડાને કોંગ્રેસના દરબારી ગણાવ્યાં. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસે ફરી સેનાનું અપમાન કર્યું છે. કોંગ્રેસમાં આતંકીઓને જવાબ આપવાની હિંમત નથી. કોંગ્રેસે દેશની સેનાનું અપમાન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમે આતંકીઓને તેમની જ ભાષામાં જવાબ આપીશું. સેના પર સવાલ ઉઠાવવા વિપક્ષની આદત પડી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતાએ પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇકને લઇ વિવાદીત નિવેદન આપ્યું છે. આ વખતે રાહુલ ગાંધીના નજીકના ગણાતા એવા સામ પિત્રોડાએ પાક. પર કરેલી એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા છે. સામ પિત્રોડાએ કહ્યું કે, કેટલાક લોકોની ભૂલની સજા આખા દેશને કેમ આપવી જોઇએ. આખા પાકિસ્તાન પર આરોપ લગાવવો ખોટું છે.
અહિંયા સવાલ એ છે, શું સામ પિત્રોડા માટે ભારતીય જવાનો કરતા પાકિસ્તાનના આતંકીઓ વધું વ્હાલા છે. શું રાહુલ ગાંધી આવા નેતાઓ સામે કોઇ પગલા ભરશે. ભારતીય સેનાની કામગીરી પર સવાલ ઉઠાવવો કેટલો યોગ્ય છે. શું સામ પિત્રોડાને ભારત કરતા પાકિસ્તાન પ્રત્યે વધુ પ્રેમ છે. સામ પિત્રોડા આતંકી હુમલાને એક ભૂલ માને છે. આવા નિવેદનો કરતા નેતાઓ પર કોંગ્રેસ ક્યારે કાર્યવાહી કરશે.