પીએમ મોદી મે મહિનામાં ઈન્ડીયા-ઈયુ સમિટમાં ભાગ લેશે
8 મે ના દિવસે પીએમ મોદી આ સમિટ માટે પોર્ટુગલ જશે
ત્યાર બાદ ફ્રાન્સ પણ જવાના છે.
8 મે ના દિવસે પીએમ મોદી આ સમિટ માટે પોર્ટુગલ જશે ત્યાર બાદ ફ્રાન્સ પણ જવાના છે. આ પહેલા 2019 માં પીએમ મોદીએ ફ્રાન્સની મુલાલકાત લીધી હતી.
બાંગ્લાદેશ બાદ પીએમ મોદીની આ બીજી વિદેશયાત્રા હશે. સૂત્રોના જણાવ્યાનુસાર 8 મે થી વડાપ્રધાન મોદીની યાત્રા શરુ થઈ શકે છે. જોકે હજુ મુલાકાતની કોઈ તારીખ નક્કી થઈ નથી. બન્ને દેશો વચ્ચે કાર્યક્રમને લઈને ફાઈનલ રુપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.
પીએમ મોદીની મુલાકાત પહેલા ફ્રાન્સના વિદેશ મંત્રી જીઆન લે ડરીયન 13 થઈ 15 એપ્રિલે ભારત આવી રહ્યાં છે. આ મુલાકાતમાં ફ્રાન્સના વિદેશમંત્રી રશિયન ડાયલોગ અને ઈન્ડીયા-ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા વિદેશ મંત્રીઓના ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ અને ભારતે કોવિડ-19 કટોકટીથી માંડીને ડિફેન્સ સેક્ટર સુધીના ઘણા બધા સ્તરે સંબંધોને મજબૂત બનાવ્યાં છે. કોરોના મહામારીની વચ્ચે આયોજિત થઈ રહેલા ઈન્ડીયા-ઈયુ સમિટ માટે પીએમ મોદી પોર્ટુગલ પણ જશે. ત્યાર બાદ ફ્રાન્સ સાથે વાટાઘાટો કરશે. ફ્રાન્સના પ્રમુખ એમ્યુનલ મેંક્રો સાથેની મુલાકાતમાં બન્ને દેશો મેરિટાઈમ સિક્યુરીટી પર ભાર મૂકશે.
PMO એ નિવેદનમાં જણાવ્યું છે કે પીએમ મોદીએ નિર્દેશ આપ્યો હતો કે કોવિડ મેનેજમેન્ટ માટે સામુદાયિક જાગૃતિ અને તેની ભાગીદારી સર્વોચ્ચ છે અને કોવિડ મેનેજમેન્ટ માટે જન ભાગીદારી અને જન આંદોલન જરૂરી છે. આ સાથે, વધતી જતી સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં રસી સુરક્ષિત કરવા તેમજ 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાથી અન્ય દેશોની વાસ્તવિક જરૂરિયાતોને પહોંચી વળવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.