રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ સોમવારે કહ્યું કે જો ભાજપ સાંસદ અનંત હેગડે (Anant Hegde) નો એ દાવો સાચો છે કે, દેવેન્દ્ર ફડણવીસે બહુમતી ન હોવા છતા ગત મહીને એટલા માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. જેથી કેન્દ્ર તરફથી આપવામાં આવી રહેલા 40000 કરોડ રૂપિયાના ફંડનો 'દુરપયોગ' ન થાય, તો PM મોદીએ રાજીનામુ આપી દેવું જોઇએ.
અનંત હેગડે દેવેન્દ્ર ફડણવીસને લઇને આપ્યું હતું મોટુ નિવેદન
નવાબ મલિકે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજીનામુ આપે
નવાબ મલિકે કહ્યું, આ ન માત્ર મહારાષ્ટ્ર પરંતુ અન્ય રાજ્યોની સાથે પણ અન્યાય છે
પોતાના વિવાદીત નિવેદનો માટે પ્રખ્યાત પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત હેગડેએ શનિવારે મહારાષ્ટ્રમાં ગત મહીને થયેલા રાજનૈતિક ઘટનાક્રમને નવો મોડ આપતા દાવો કર્યો હતો કે આમ એટલા માટે કરવામાં આવ્યું જેથી વિકાસ કામોમાં ખર્ચ કરવામાં આવતા ફંડને 'બચાવી' શકાય.
એનસીપી (NCP)ના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે અનંત હેગડેના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, 'રાજ્ય સરકાર માટે કેન્દ્રને 40 હજાર કરોડ રૂપિયાનં ફંડ પરત કરવું અસંભવ છે. જો આ તમામ સત્ય છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પદેથી રાજીનામુ આપી દેવુ જોઇએ.
નવાબ મલિકે પત્રકારોને કહ્યું, 'આ ન માત્ર મહારાષ્ટ્ર પરંતુ અન્ય રાજ્યોની સાથે પણ અન્યાય છે. તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કેરળની જનતા આ પ્રકારનો અન્યાય નહીં ચલાવી લે.
ત્યારે, ફડણવીસે હેગડેના દાવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મેં મુખ્યમંત્રીના રુપે આ પ્રકારનો કોઇ નીતિગત નિર્ણય નહીં લીધો. આ તમામ આરોપ ખોટા છે.