કોરોના વાયરસના કારણે દેશભરમાં હડકંપ મચી ગયો છે. દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. સતત કડક નિર્ણયો લેતી મોદી સરકારે હવે કોરોના સામે લડવા માટે આયુર્વેદનો સહારો લેવાનો નિર્ણય કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું
કોરોના સામે આયુર્વેદ અને પારંપરિક દવાઓ પર પરીક્ષણ કરશે ટાસ્ક ફોર્સ
આ ટાસ્ક ફોર્સ ICMR સાથે મળીને કરશે કામ
કોરોના વાયરસથી બચવા માટે દવાઓ શોધવા માટે વિશ્વનાં દેશો કામે લાગેલા છે ત્યારે ભારતે પ આયુર્વેદની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ મંત્રાલય હેઠળ એક ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું છે. આ ટાસ્ક ફોર્સ હવે કોરોના વાયરસ શોધવા માટે કામ કરશે.
કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈકે આ વિષયમાં માહિતી આપતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટાસ્ક ફોસની રચનાં કરી છે, જે આયુર્વેદ અને પારંપરિક દવાઓના મેડીકલ ફોર્મ્યુલાના આધારે તેના વૈજ્ઞાનિક પ્રયોગની મદદથી કોરોના સામે લડવા માટે કામ કરશે. તેમણે કહ્યું કે અમને 2000 અરજીઓ મળી છે જેને વૈજ્ઞાનિક રીતે ચકાસ્યા બાદ ICMRને મોકલવામાં આવશે.
નોધનીય છે કે કોરોના વાયરસની આજ સુધી કોઈ જ વેક્સિન શોધાઈ નથી. સ્વાસ્થ્ય ક્ષેત્રની મહાસત્તાઓ કોરોના વાયરસની રસી શોધવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે એવામાં ભારત પણ પાછળ ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. વિશ્વના વૈજ્ઞાનિકૉ કોરોના વાયરસની રસીને લઇ જુદા જુદા દાવાઓ કરી રહ્યાં છે. એવામાં ભારતે આયુર્વેદનો સહારો લેવાનો મોટો નિર્ણય લીધો છે.