અક્ષય કુમારના (Akshay Kumar) માતાના નિધન બાદ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ તેમના માટે શોક સંદેશ મોકલ્યો છે.
PM નરેન્દ્ર મોદીએ મોકલ્યો શોક સંદેશ
અક્ષય કુમારના માતાનું નિધન
લેટરમાં કહી ઈમોશનલ વાત
બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar)ના માતાનું 8 સપ્ટેમ્બરે નિધન થઈ ગયું હતું. ત્યાર બાદથી સતત તેમના નજીકના લોકો તેમના દુઃખને લઈને ચિંતામાં છે. લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આ મુશ્કેલ સમયમાંથી અક્ષય બહાર આવી શકે. હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અક્ષ્ય કુમારને શોક સંદેશ મોકલ્યો છે.
અક્ષયે સોશિયલ મીડિયા પર શેર કર્યો આ પત્ર
અક્ષય કુમારે (Akshay Kumar) PM મોદીનો આ શોક સંદેશ પોતાના ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પત્રની શરૂઆતમાં પીએમ મોદીએ લખ્યુ છે, 'પ્રિય અક્ષય, સારૂ હોત કે મારે આવો પત્ર લખવાનો સમય જ ન આવ્યો હોત. એક આદર્શ દુનિયામાં આવો સમય ક્યારેય ન આવવો જોઈએ. તમારા માતા અરૂણા ભાટિયાના નિધનની ખબર સાંભળીને મને દુઃખ થયું.'
અક્ષયે માન્યો આભાર
આ પત્રને વાંચીને અક્ષય કુમાર પણ ઈમોશનલ જોવા મળે છે. તેને શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, 'માતાના નિધન બાદ મળેલા શોક સંદેશ માટે તમારો આભારી છું. મારા અને મારા દિવંગત માતા-પિતા માટે સમય કાઢવા અને પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે હું માનનીય પ્રધાનમંત્રીનો આભારી છું. આ સુકૂન આપતા શબ્દો હંમેશા મારી સાથે રહેશે, જય અંબે.'