લોકસભા ચૂંટણી 2019 બાદ પીએમ મોદી ગુજરાત પહોંચ્યા છે. લોકસભા 2019 ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ પીએમનો પહેલો આ ગુજરાત પ્રવાસ છે. અહીં પીએમ પોતાની માંને મળીને આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ પગે લાગીને માંના આશિર્વાદ લીધા. ત્યારે આ પહેલા પીએમ મોદીએ ખાનપુર કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
મહત્વનું છે કે ચૂંટણી દરમિયાન પણ તેઓ માં હિરાબાના આશિર્વાદ લીધા હતા. 2014 લોકસભા ચૂંટણીમાં જીત દાખલ કર્યા બાદ પણ તેમણે માંના આશિર્વાદ લીધા હતા અને તેમણે વડોદરામાં જનસભાને સંબોધિત કરી હતી.
Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence in Gandhinagar and seeks her blessings. #Gujaratpic.twitter.com/qWEwnJo1Y9
મહત્વનું છે કે નરેન્દ્ર મોદી બીજી વખત 30 મેના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લેશે. આ પહેલા માંને મળવા પહોંચેલા પીએમ મોદી માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો. પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટ પહોંચીને સરદાર પટેલના સ્ટેચ્યુને પુષ્પાજલિ અર્પણ કરી હતી.
ત્યાર બાદ તેઓ ખાનપુર પહોંચીને જનસભાને સંબોધી હતી. ત્યારબાદ તેઓ ગાંધીનગરના રાયસણ પોતાની માંને મળવા પહોંચ્યા હતા. હવે તેઓ આવતીકાલે 27 મેના રોજ વારાણસી પહોંચશે, જ્યાં તેઓ મોટી લીડથી જીત્યા છે.