પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજથી દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઉદ્ધાટન પહેલા જ પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ જોવા મળ્યો છે. ઓનલાઇન બુકિંગમાં ટેકનિકલ સમસ્યા સર્જા આજની ટ્રીપ રદ્દ કરવામાં આવી છે.
સી-પ્લેનના ઉદઘાટન પહેલા પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ
પ્રાપ્ત મળી વિગત અનુસાર અમદાવાદ શહેરમાં સી-પ્લેનના ઉધ્ધાટન પહેલા જ પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ જોવા મળ્યો છે. જેના કારણે આજે સામાન્ય લોકો સી-પ્લેનની મુસાફરી નહીં કરી શકે.
શહેરમાં સી-પ્લેનના ઓનલાઇન બુકિંગમાં ટેકનિકલ સમસ્યા સર્જાતા ટ્રીપ રદ્દ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદીના ઉદ્ધાટન બાદ આજથી અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેનની ટ્રીપ શરૂ થવાની હતી. જો વેબસાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદથી કેવડિયાના દરરોજ 4 ટ્રીપ
અમદાવાદથી સવારે 8.00 કલાકે પ્રથમ ટ્રીપ, 10.15 કલાકે, બપોરે 12.45 કલાકે અને સાંજે 3.05 કલાકે ટ્રીપ ઉડાન ભરશે. કેવડિયાથી પ્રથમ ટ્રીપ સવારે 9.15 કલાકે, સવારે 11.30 કલાકે બીજી ટ્રીપ, બપોરે 1.50 કલાકે ત્રીજી ટ્રીપ અને છેલ્લી ટ્રીપ સાંજે 4.20 કલાકે ઉડાન ભરશે.