આજે ભાજપની સંસદીય બેઠક મળી હતી જેમાં PM મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે PM એ સાંસદોને કેટલીક્ સૂચનાઓ પણ આપી હતી.
આજે ભાજપની સંસદીય બેઠક મળી
PM મોદીનું સન્માન થયું
સંસદમાં ગેરહાજર રહેતાં સાંસદોને PM એ ખખડાવ્યા
PM મોદીએ મંગળવારે ભાજપના સંસદીય દળની બેઠકમાં 15 નવેમ્બરે બિરસા મુંડાના જન્મદિવસ નિમિત્તે એ દિવસને જનજાતિય ગૌરવ દિવસના રૂપે ઉજવવાની ઘોષણા કરી હતી. અને તેને સન્માનિત કરવાની ઘોષણા કરી હતી.
આજે જનપથ સ્થિત ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક યોજાઇ હતી. જો કે પીએમ મોદીની આગેવાની માં યોજાયેલી આ બેઠકમાં કેબિનેટે બિરસા મુંડાની જન્મજયંતીને એટલે કે 15 નવેમ્બરને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની મંજૂરી આપી દીધી હતી.
તમામ મોટા મંત્રીઓ રહ્યા હાજર
આ બેઠકમાં પીએમ મોદી સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પિયુષ ગોયલ, વિદેશ મંત્રી એસ. જયશંકર, પ્રહલાદ જોશી અને જિતેન્દ્ર સિંહ સામેલ હતા. ભાજપના સંસદીય દળની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા અને પાર્ટીના અન્ય સાંસદો પણ હાજર રહ્યા હતા.
બિરસા મુંડા જનજાતિ સમુદાય સાથે સંબંધ ધરાવે છે તેઓનો જન્મ 15 નવેમ્બર 1875 નાં દિવસે થયો હતો. 19 મી શતાબ્દીનાં અંતભાગમાં બ્રિટિશ શાસન દરમિયાન તેમણે આધુનિક બિહાર અને ઝારખંડના આદિવાસી બેલ્ટમાં એક ભારતીય આદિવાસી ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કરીને બ્રિટિશ હકૂમત વિરુદ્ધ લડાઈ લડી હતી. બિરસા મુંડાનાં જન્મદિવસે દેશને બિરસા મુંડાનાં જન્મજયંતી સ્વરૂપે તો ઉજવણી કરવામાં આવે છે. અને ઝારખંડ સ્થાપન દિવસ પણ એ જ દિવસે ઉજવાય છે.
ભાજપની સંસદીય બેઠકમાં PM મોદીએ સદનમાં પક્ષના સાંસદોની અનુપસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર બેઠક્ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે જો વારંવાર બાળકોને પણ એક વાત કહી તો તેઓ પછી એવું નથી કરતાં. મહેરબાની કરીને આમાં પરિવર્તન લાવો. નહીં તો પરિવર્ત જાતે જ થઈ જશે.
સાંસદોને સુર્ય નમસ્કાર કરવાની સલાહ
સાથે આ મિટિંગ દરમિયાન PM મોદીએ સાંસદોને સુર્ય નમસ્કાર કરવાની સૂચના અને સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે સુર્ય નમસ્કાર દરેક વ્યક્તિએ કરવા જોઈએ. અને તેને સ્પર્ધાના ભાગરૂપે કરવાથી તમામ સ્વસ્થ પણ રહી શકીશું. તમારે સંસદમાં રહેવાનું છે.
PM બોલ્યા હતા કે 13મી એ હું કાશી જાઉં છું. પહેલી વાર તમને બધાને ત્યાં આવવા માટે નહીં કહી શકું કારણ કે અત્યારે સંસદ ચાલી રહી છે. તેથી તમે તમામ સંસદમાં રહેવા જોઈએ. પોત પોતાના ક્ષેત્રમાં રહીને તમે કાશી કાર્યક્રમ વિષે લોકોને વધારે સારી રીતે જોવાની વ્યવસ્થા કરી શકશો.