વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જેમની રાજનીતિ "દલાલો અને વચેટિયાઓ"ના ભરોસે ચાલતી હોય તે સરકારના સુધારાવાદી પગલાઓ વિશે "જૂઠ્ઠાણા" ફેલાવી રહ્યા છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ તત્વોથી દેશ બિલકુલ ડગશે નહીં.
વડાપ્રધાને કહ્યું હતું કે જે લોકો તેમની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા "ઐતિહાસિક" સુધારાઓનો વિરોધ કરે છે, ખેડૂતો એવા લોકોને ક્યારેય સાથ નહીં આપે.
મોદી 'સ્વામિત્વ યોજના' હેઠળ પ્રોપર્ટી કાર્ડ્સના સીધા વિતરણની શરૂઆત કરતા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેમની સરકારે ગામ અને ગામડાનો લોકો માટે છેલ્લાં છ વર્ષમાં જે કામ કર્યું છે તે આઝાદીના છ દાયકામાં થયું નથી.
गांव और गरीबों को अभाव में रखना कुछ लोगों की राजनीति का आधार रहा है।
आजकल इन लोगों को खेती में जो ऐतिहासिक सुधार किए गए हैं, उनसे भी दिक्कत हो रही है।
મોદીએ આ સંદર્ભમાં બેંક ખાતાઓ ખોલવા, શૌચાલયો અને આવાસોનું નિર્માણ, ઉજ્જવલા યોજના અને વીજળીકરણ યોજના સહિતના અનેક પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતા વડાપ્રધાને કહ્યું કે, "વર્ષોથી સત્તામાં રહેલા લોકોએ મોટી મોટી વાતો કરી પરંતુ ગામડાંના લોકોને તેમના નસીબ ઉપર છોડી દીધા."
તેમણે કહ્યું કે, ઘણા લોકો ગામડા, ગરીબો, ખેડુતો, મજૂરી કરતા ભાઈ-બહેન આત્મનિર્ભર બને તેવું ઇચ્છતા નથી. મોદીએ કહ્યું, "ગામના લોકોને અને ગરીબોને અભાવોમાં રાખવા એ કેટલાક લોકોના રાજકારણનો આધાર છે. આજકાલ આ લોકો કૃષિ ક્ષેત્રે થયેલા ઐતિહાસિક સુધારાઓથી પરેશાન છે, તેઓ આઘાત પામ્યા છે."
इतने वर्षों तक जो लोग सत्ता में रहे उन्होंने बातें तो बहुत बड़ी बड़ी की, लेकिन गावों को उनके नसीब पर छोड़ दिया।
વડાપ્રધાને કહ્યું, "તેમનો આક્રોશ ખેડુતો માટે નથી, પણ પોતાના માટે છે. નાના ખેડુતો, પશુપાલકો, માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ મળવાને કારણે તેમના કાળા નાણાં બંધ થઈ ગયા છે. તેઓને આજે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે."
નોંધનીય છે કે મોદી સરકારે તાજેતરમાં કૃષિ સુધારાને લગતા 3 બિલ પાસ કર્યા છે જેને વિપક્ષે કાળો કાયદો ગણાવ્યા છે અને ઠેર ઠેર ખેડૂત સહિતના જૂથો તેનો વિરોધ કરી રહ્યા છે.