પીએમ મોદીએ કેશલેશ અર્થવ્યવસ્થાને લઇને ટ્વિટ કરી હતી જેના પર બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ રિટ્વિટ કરીને કટાક્ષ કર્યો છે.
વડાપ્રધાને કહ્યું આપણે બન્યા કેશલેશ ઇકોનોમી
રિચા ચઢ્ઢાએ આપ્યો પીએમને જવાબ
ટ્વિટ કરીને ખાસી પર્સનો વીડિયો શૅર કર્યો
પીએમ મોદીએ નાસકોમ ટેક્નોલોજી એન્ડ લીડરશીપ ફોરમને સંબોધિત કરી હતી. તેમાં ડિજીટલ પ્રોદ્યોગીકીના લાભ ગણાવતા કહ્યું કે તેમાં સુધારાથી કાળા ધનની સમસ્યા ઓછી થઇ ગઇ છે અને લોકો સશક્ત થયા છે. જો કે સોશ્યલ મિડીયા પર તેમની આ ટિપ્પણીને લઇને રિએક્શન પણ આવી રહ્યાં છે. અભિનેત્રી રિચાએ પણ એક વીડિયો શૅર કર્યો છે અને પોતાની વાત મુકી છે.
બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પીએમ મોદીની આ વાત પર ટ્વિટ કરતા લખ્યું કે આ એક ઇમાનદાર સ્વીકારોક્તિ છે. કેશ ખરેખર ઓછુ છે. આ પ્રકારે રિચાએ પોતાનો પક્ષ રાખ્યો છે. રિચાએ પોતાની વાત એક ખાલી પર્સનો વીડિયો શૅર કરીને કહી છે.
મહત્વનું છે કે રિચાની હાલમાં જ ફિલ્મ મેડમ ચીફ મિનિસ્ટર રિલીઝ થઇ છે. રિચાએ ખેડૂત આંદોલનને લઇને પણ ટ્વિટ કર્યા હતા. ઘણી વાર રિચાને ટ્રોલર્સ નિશાને લઇ લેતા હોય છે પરંતુ તે નીડરતાથી પોતાની વાત રાખે છે. રિચાની આ ટ્વિટને લોકો ખુબ વાંચી રહ્યાં છે અને રિએક્શન પણ આવી રહ્યાં છે.
અલી ફઝલ સાથે કરશે લગ્ન
2020માં રિચા અને અલી ફઝલ પરણી જવાના હતા પરંતુ કોરોના વાયરસના કારણે તેઓએ પોતાના લગ્નનો પ્લાન પણ મુલતવી રાખવો પડ્યો હતો. અલી ફઝલ મિર્ઝાપુર વૅબ સિરીઝના કારણે ઘણો જ ચર્ચામાં હતો. મિર્ઝાપુરમાં અલીએ ગુડ્ડુ પંડિતનુ પાત્ર ભજવ્યુ હતુ અને જે ખુબ જ પ્રસિદ્ધ થયુ છે.