છેલ્લા 29 દિવસથી રાજધાની દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા આક્રોશપૂર્ણ ખેડૂત આંદોલનની વચ્ચે આજે પીએમ મોદીએ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે કાળનો દિવસ દેશના અન્નદાતાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનીને રહેવાનો છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે કાલે 12 વાગે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના 9 કરોડથી વધુ ખેડૂત પરિવારોને પીએમ કિસાન યોજનાનો હપ્તો જાહેર કરવાનું સૌભાગ્ય મળશે. આ અવસરે ઘણા રાજ્યોના ખેડૂત ભાઈ બહેનો સાથે વાતચીત પણ કરીશ.
કૃષિ કાયદાઓને લઈને દિલ્હીની ભાગોળે ચાલી રહ્યો છે વિરોધ
કાલે પીએમ મોદી અમુક રાજ્યોના ખેડૂતો સાથે કરશે સંવાદ
નોંધનીય છે કે હાલમાં રાજધાની દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલું ખેડૂત આંદોલન દિવસે ને દિવસે વધુ જોર પકડી રહ્યું છે જ્યારે કે મોદી સરકાર પણ સામે નમવાના મૂડમાં નથી, મોદી સરકારે વધુ એકવાર ખેડૂત અગ્રણીઓને કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ મોકલ્યો હતો, જો કે આંદોલન કરી રહેલા ખેડૂતો એ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર ખુલ્લા મનથી ચર્ચા કરવા માંગતી નથી અને પોકળ પ્રસ્તાવો મોકલી રહી છે, માટે હવે જ્યાં સુધી સરકાર કાયદાઓ પાછા નહીં લે ત્યાં સુધી આ આંદોલન સમાપ્ત નહીં થાય.
कल का दिन देश के अन्नदाताओं के लिए बेहद अहम है। दोपहर 12 बजे वीडियो कॉन्फ्रेंसिंग के जरिए 9 करोड़ से अधिक किसान परिवारों को पीएम-किसान की अगली किस्त जारी करने का सौभाग्य मिलेगा। इस अवसर पर कई राज्यों के किसान भाई-बहनों के साथ बातचीत भी करूंगा। #PMKisanhttps://t.co/MFVWDc63Xa
પીએમ મોદી એ દેશભરના ખેડૂતો ના ખાતામાં સીધા તેમણે મદદ મળે તે માટે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી હતી, જેની અંતર્ગત ખેડૂતો ને દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા 6 હજાર રૂપિયા સીધા તેમના ખાતામાં મોકલવામાં આવશે. આવતી કાલે પીએમ મોદી આ જ યોજનાનો નેક્સ્ટ હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવાના છે.
પીએમ મોદી આ સિવાય કાલે અમુક રાજ્યોના ખેડૂતો સાથે અનવાદ પણ કરવાના છે અને 9 કરોડ ખેડૂત પરિવારો ખાતામાં 18000 કરોડ રૂપિયાની રકમ મોકલવાના છે. જો કે ખેડૂત આંદોલનના અગ્રણીઓ પીએમ મોદી ના આ પગલાને કેવી રીતે આવકારે છે?