પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના ગૃહ મંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ ચિંતન શિબિરને સંબોધતા કહ્યું કે 'ફેક ન્યુઝને ફોરવર્ડ કરતા પહેલાં ફેક્ટ ચેક કરવું જરૂરી છે.
પ્રધાનમંત્રીએ ફેક ન્યુઝને લઇ ચિંતા વ્યક્ત કરી
ફેક્ટ ચેક કર્યા વગર એક પણ મેસેજને ફોર્વડ ન કરો: PM
PMએ કહ્યું કે ફેક ન્યુઝ દેશમાં અશાંતિ ઉભી કરી શકે છે
નવી દિલ્લી: હરિયાણામાં યોજાયેલા ચિંતન શિબિરમાં તમામ રાજ્યોના ગૃહમંત્રીઓની બેઠકમાં PM મોદીએ સોશિયલ મીડિયાના આ યુગમાં ફેક ન્યુઝથી લડવા માટે મંત્ર આપ્યો છે. ચિંતન શિબિરના બીજા દિવશે PM મોદીએ ફેક ન્યુઝ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કોઈ પણ નાની ભૂલ કે ફેક ન્યુઝ મોટી અશાંતિ ઉભી કરી શકે છે. તેથી એ જરૂરી છે કે કોઈ પણ મેસેજ ફોરવર્ડ કર્યા પહેલાં તેના તમામ ફેક્ટ ચેક કરવામાં આવે. PM મોદીએ લોકોને ફેક ન્યુઝ શેર ન કરવાની અપીલ પણ કરી.
PM મોદીએ કર્યું સંબોધન
ગૃહમંત્રીઓની ચિંતન શિબિરમાં PM મોદીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે " સોશિયલ મીડિયાની શક્તિને સામાન્ય ન ગણવી જોઈએ. એક નાનકડી ફેક ન્યૂઝ સમગ્ર દેશમાં અશાંતિ ફેલાવી શકે છે." વધુમાં PM મોદીએ કહ્યું કે "આરક્ષણને લગતાં એક ખોટા સમાચાર ફેલાઇ ગયાં હતાં જેના લીધે આ દેશને ઘણું નુક્સાન ભોગવવું પડ્યું હતું. તેથી જ આપણે લોકોને ફેક ન્યુઝ વિષયક સમજ આપવી પડશે અને તેમને કહેવું પડશે કે કોઈ પણ સમાચાર જે તમારાં સુધી પહોચેં છે તેને ચકાસ્યા વિના આગળ ન મોકલશો."
ગૃહમંત્રીઓની બેઠકમાં PM મોદીએ આપ્યો મંત્ર
PM મોદીએ કહ્યું કે, 'બધા પ્લેટફોર્મ ઉપર વેરિફિકેશનની વ્યસ્થા હોય છે. તમારે ફેક્ટ ચેક કરવા માટે સોશિયલ મીડિયા ઉપર ચક્કર મારવા પડશે.' વધુમાં તેમણે કહ્યું કે આ કામમાં ટેકનોલોજીની ખુબ મોટી ભૂમિકા હોય છે. જે પણ મેસેજ તમારી પાસે આવે છે તેને ફોરવર્ડ કરતાં પહેલાં તેની હકીકત જાણવા લોકોને તંત્રથી અવગત કરાવવું અનિવાર્ય છે. પ્રધાનમંત્રીએ આંતરિક સુરક્ષા જળવાઈ રહે તે માટે તમામ રાજ્યોને એક થઇ અને કામ કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે 'કાનૂન અને વ્યવસ્થાનનો સીધો સંબંધ પ્રગતિ અને વિકાસ સાથે સંકળાયેલો છે. આંતરિક શાંતિ જાળવી રાખવી એ બધા લોકોની જવાબદારી છે.'
એકબીજાને સાથ સહકાર આપવાની કરી વાત
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોના ગૃહમંત્રીઓ માટે 2 દિવસની આ ' ચિંતન શિબિર'ની વીડીયો કોન્ફરન્સને PM મોદીએ સંબોધિત કરતાં કહ્યું કે તમામ રાજ્યો ને એક બીજા પાસેથી શીખવું જોઇએ, પ્રેરણા લેવી જોઇએ અને બધાએ સાથે મળીને કામ કરવું જોઇએ. તેમણે કહ્યું કે, 'આંતરિક સુરક્ષા માટે બધા રાજ્યોનું એક સાથે મળીને કામ કરી બંધારણિય આદેશને ધ્યાનમાં રાખી દેશ માટે કામ કરવું જોઇએ.' તમામ એજન્સીઓએ પણ કાર્યક્ષમતા, વધુ સારું પરિણામ અને સામાન્ય માણસની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એકબીજાને સાથ સહકાર આપવો જોઇએ.
પોલીસ માટે 'એક રાષ્ટ્ર, એક વર્દી'નો વિચાર
PM મોદીએ કહ્યું કે સંવિધાન અનુસાર કાનૂન અને વ્યસ્થા સંબંધિત સ્થિતિની દેખરેખ એ રાજ્યનો વિષય છે. તે દેશની એકતા અને અખંડિતતા સાથે સમાનરૂપે સંકળાયેલું છે. પ્રધાનમંત્રી મોદીએ પોલીસ માટે 'એક રાષ્ટ્ર, એક વર્દી'નો વિચાર રાખતાં કહ્યું કે,' આ વિચારનો જબરદસ્તીથી અમલ ન કરાવવો જોઈએ પરંતુ તેનાં પર વિચાર કરવો જોઈએ.' PM મોદીએ કહ્યું કે લોકોમાં પોલીસ માટે એક સારી ધારણા હોવી મહત્વપૂર્ણ છે. PM મોદીએ રાજ્યો માટે આઝાદી પહેલાં પૂર્વ કાયદાઓની સમીક્ષા કરવાં અને હાલની પરિસ્થિતિનાં સંદર્ભમાં સંશોધન કરવા માટે કહ્યું. 2 દિવસની આ ચિંતન શિબિરનો હેતુ 'વિઝન 2047' અને 'પંચપ્રણ' ઉપર અમલીકરણ થાય તે માટે યોજના બનવવાનું છે જેનું એલાન પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્રતા દિવસે કર્યું હતું.