પીએમ મોદીએ આટકોટ ખાતે મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે કહ્યું કે આ સમાજમાં એવુ સ્વસ્થતાનું વાતાવરણ બને કે કોઇએ હોસ્પિટલમાં આવવું જ પડે.
આટકોટ ખાતે પીએમ મોદીનું સંબોધન
"સમાજમાં સ્વસ્થતા માટેનું વાતાવરણ બનાવીએ"
" આ હોસ્પિટલ ખાલીને ખાલી જ રહે "
આટકોટ ખાતે પીએમ મોદી દ્વારા માતૃશ્રી કેડીપી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ જનતાને સંબોધન કરતા જણાવ્યું કે જ્યારે સરકારના પ્રયાસમાં જનતાનો પ્રયાસ જોડાઇ જાય છે ત્યારે સેવા કરવાની શક્તિ અનેકઘણી વધી જાય છે. રાજકોટમાં બનેલી આ હોસ્પિટલ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
'હોસ્પિટલમાં કોઇએ આવવુ જ ન પડે'
તો હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે તેઓએ જણાવ્યું કે સમાજમાં એવી સ્વસ્થતા માટેનું વાતાવરણ બનાવીએ કે આ હોસ્પિટલ ખાલીને ખાલી જ રહે. સૌ કોઇ સ્વસ્થ રહે તો કોઇએ આવવુ જ ન પડે. અને જો હોસ્પિટલમાં આવે તો પહેલા જ કરતા તાજો તમતમતો થઇને પાછો જાય તેવુ આ કાર્ય આ હોસ્પિટલમાં થવાનું છે તેમ જણાવ્યું હતું,.તો વધુમાં કહ્યુ કે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નું શિલાન્યાસ કર્યુ. તો આ તરફ રાજકોટમાં એઇમ્સનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યુ છે અને આટકોટમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ. સૌરાષ્ટ્ર વાસીઓને સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ ગણાવી હતી.
કિર્તીદાન ગઢવીના ગીત વચ્ચે પીએમ મોદીની ગ્રાન્ડ એન્ટ્રી
આટકોટ ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું તે બાદ પીએમ મોદી જેવા સ્ટેજ પર આવ્યા કે કિર્તીદાન ગઢવીએ પોતાના અંદાજમાં પીએમ મોદી માટે સરસ મજાનું ગીત ગાયું.. ઇસ દેશ કા બેટા ઘર કો આયા.. હા..મોદી જી ભલે પધાર્યા.. સ્ટેજ પર આગમન થતાની સાથે જ હાજર જનમેદનીએ પીએમ મોદીના માનમાં ઉભા થઇને માન પૂર્વક સ્વાગત કર્યુ. પીએમ મોદીએ પણ હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલ્યું..રામભૂમિ મે.. મંદિર બનાયા.. આંતકીઓ કા કિયા સફાયા..સહિત પીએમ મોદીની સિદ્ધિઓને તેઓએ સરસ ગીત સ્વરૂપે રજૂ કરીને અનોખા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું. તો જનતાનો ઉત્સાહ અને પ્રેમ જોઇને પીએમ મોદીએ બે હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલ્યુ .
હોસ્પિટલમાં કેવી છે સુવિધા ?
હોસ્પિટલમાં સુવિધા કેવી હશે તે અંગે વાત કરીએ તો, રૂપિયા 40 કરોડનાં ખર્ચે કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 200 બેડની આ હોસ્પિટલમાં રૂપિયા 14 કરોડથી વધુના આધુનિક મશીનો સહિતની એઇમ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. અહીં સારવાર માટેનો ખર્ચ ખૂબ નજીવો રખાયો છે. જેમાં એન્જિયોપ્લાસ્ટી માટે માત્ર 40થી 60 હજારમાં જ એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવશે. ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી 250 અને જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી 150 રૂપિયાનો જ ચાર્જ વસૂલવામાં આવશે.આ ઉપરાંત આ હોસ્પિટલમાં 3 ટાઈમ ભોજનની સગવડ આપવામાં આવશે.