પશ્ચિમ બંગાળમાં આજે ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. તો આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલીગુડીમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી.જેમાં TMC અને મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા.
પશ્ચિમ બંગાળમાં આજે ચોથા તબક્કાનું મતદાન
PM નરેન્દ્ર મોદીએ TMC અને મમતા દીદી પર કર્યા પ્રહાર
કહ્યું- જે જવાન આતંકવાદથી નથી ડરતા તેને દીદીના ગુંડા શું ડરાવશે ?
પ્રધાનમંત્રીએ કૂટબિહાર હિંસા માટે ટીએમસીને જવાબદાર ઠેરવી હતી. સાથે જ સુરક્ષાદળો પર થયેલા હુમલાને લઈને મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે, જે જવાન આતંકવાદીઓ અને નક્સલીઓથી નથી ડરતા તેમને દીદી અને તેમના ગુંડા શું ડરાવશે ?
What happened in Cooch Behar is very saddening. My sympathies are with the families of those who died, I condole their demise. Didi & her goons are perturbed, seeing the people's support for BJP. She has stooped to this level as she can see her chair slipping away: PM in Siliguri pic.twitter.com/MMWPNtnLmj
PM મોદીએ કહ્યું કે, બંગાળમાં નવું વર્ષ શરૂ થવાનું છે. નવા વર્ષમાં અસત્ય પર સત્યનો વિજય થવાનો છે, ભાજપની જીત થવા જઇ રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, બંગાળમાં ભાજપની જીત જોઇને દીદી અને તેમના ગુંડાઓ ગિન્નાયા છે. તેમને કૂચબિહારમાં માર્યા ગયેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી છે. તો ચૂંટણી પંચને પણ કડક કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો હતો.
ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે થઇ બબાલ
પશ્ચિમ બંગાળમાં ચોથા ચરણનું મતદાન થઈ રહ્યું છે ત્યારે અનેક જગ્યાએ હિંસક અથડામણના સમાચાર આવી રહ્યા છે. કુચબિહારના સિતાલકુચીમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. આ અથડામણમાં લોકો ઘાયલ થયા. પોલીસે લાઠી ચાર્જ કરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે બૂથ નંબર 285માં મતદાન કેન્દ્રની બહાર બોમ્બ ફેરવામાં આવ્યો અને ગોળીબારી થઈ. પોલિંગ બુથની બહાર ફાયરિંગમાં વોટ નાંખવા આવેલા એક યુવકનું મોત થયું છે.
પોલીસનો દાવો કેન્દ્રીય દળોની ફાયરિંગમાં કુચબિહારમાં ચાર લોકોના મોત
આ દરમિયાન બંગાળ પોલીસે દાવો કર્યો છે કે કેન્દ્રીય દળોની ફાયરિંગમાં કુચબિહારમાં ચાર લોકોના મોત થયા છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ સિતાલકુચીમાં ઘટના ત્યારે બની જ્યારે ક્વિક રિસ્પોન્સ ટીમ(ક્યૂઆરટી) પર મતજદાન ક્ષેત્રના ચક્કર લગાવી ઉપદ્રવિઓ દ્વારા કથિત હુમલો કરવામાં આવ્યો
આ ચારના મોતનો દાવો
મનાઈ રહ્યું છે કે ઉપદ્રવીયોએ ક્યૂઆરટીના વાહનોને નુકસાન પહોંચાડ્યુ. એ બાદ સુરક્ષાકર્મિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં 4 લોકોના મોત થયા હોવાનો ટીએમસીએ દાવો કર્યો છે કે બુથ 5/126 પર થયેલી આ ઘટનામાં હમીદુલ હક, મનીરુલ હકમ સમીયુલ હત અને અજમદ હુસૈનનું મોત થયું છે.
કેન્દ્રીય બળોએ આજે બે વાર ફાયરિંગ કર્યું છે - ટીએમસી
તૃણમૂલ કોંગ્રેસના નેતા ડોલા સેને કહ્યું કેન્દ્રીય બળોએ આજે બે વાર ફાયરિંગ કર્યું છે. કૂચબિહારમાં બ્લોક વનમાં ફાયરિંગમાં એકનું મોત થયું જ્યારે 3 ઇજાગ્રસ્ત થયા. સિતલકૂચી બ્લોકમાં ફાયરિંગમાં 3ના મોત થયા છે અને 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. કેન્દ્રીય સુરક્ષાદળોએ હદ પાર કરી છે અને લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
ચૂંટણી પંચે ડીઈઓ કૂચબિહારમાંથી એક કલાકની અંદર રિપોર્ટ માંગ્યો
આ સમગ્ર ઘટનામાં ચૂંટણી પંચે ડીઈઓ કૂચબિહારમાંથી એક કલાકની અંદર રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના એડિશનલ ડાયરેક્ટર જનરસ જગમોહને ફોન પર જણાવ્યું કે 4 લોકોના મરવાની પુષ્ટિ થઈ છે. સીઆઈએસએફના જવાનોએ ગોળી ચલાવી છે. ગોળી ત્યારે ચલાવવામાં આવી જ્યારે તેમના પર ગ્રામીણોએ હુમલો કર્યો.
મમતાએ કહ્યું અમારો ડર સાચો પડ્યો
કૂચબિહાર ફાયરિંગ ઘટના પર CM મમતા બેનર્જીનું નિવેદન, કહ્યું અમારો ભય સાચો પડ્યો, ગૃહમંત્રાલય કેન્દ્રીય બળોને કરી રહ્યું છે પ્રભાવિત