પીએમ મોદીએ ચૌરી ચૌરા શતાબ્દિ મહોત્સવમાં ખેડૂતોને ખાસ સંદેશ આપ્યો છે. તેઓએ કહ્યું છે સરકાર છેલ્લા 6 વર્ષથી ખેડૂતોને સશક્ત કરવાનો પ્રયાસ કરી રહે છે. સરકારના દરેક નિર્ણયો ખેતીને લાભ થાય તે માટે છે.
પીએમ મોદીનો ખેડૂતોને ખાસ સંદેશ
ખેડૂતોને સશક્ત કરવામાં જોડાઈ છે સરકાર
સરકારના દરેક નિર્ણયો ખેતીને લાભ માટેઃ પીએમ
ચૌરી ચૌરા સમારોહમાં વર્ચ્યુઅલી જોડાયેલા પીએમએ પોતાના 26 મિનિટના સંબોધનમાં અનેક વાર ખેડૂતોનો ઉલ્લેખ કર્યો છે. બજેટ માં ખેડૂતો અને ખેતી માટે કરાયેલી રકમનો પણ ઉલ્લેખ કર્યો હતો. કૃષિ સુધાર કાયદો કે કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનો ઉલ્લેખ કર્યા વિના તેઓએ પોતાની વાત કહી. પીએમ મોદીએ ખેડૂતોને દેશની અર્થવ્યવસ્થાનો આધાર ગણાવ્યો છે. ચૌરી ચૌરા આંદોલનમાં તેમની મોટી ભૂમિકા હતી. તેઓએ કહ્યું કે છેલ્લા 6 વર્ષથી સરકાર ખેડૂતોને સશક્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેનું પરિણામ કોરોના સમયમાં જોવા મળ્યું. મહામારીની ચેલેન્જમાં પણ કૃષિ ક્ષેત્ર આગળ રહ્યું, ખેડૂતોએ રેકોર્ડ ઉત્પાદન કર્યું.
हमारे देश की प्रगति का सबसे बड़ा आधार हमारे किसान भी रहे हैं। चौरी-चौरा संग्राम में हमारे किसानों की सबसे बड़ी भूमिका थी, किसान आगे बढ़ें, आत्मनिर्भर बने इसके लिए पिछले 6 सालों में किसानों के लिए लगातार प्रयास किए गए हैं: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/uq7ShEVYzv
ખેડૂત વધારે સશક્ત થશે અને આગળ વધશે, પીએમએ કહ્યું કે દેશમાં મંડીઓને ખેડૂતોના ફાયદાનું બજાર બનાવવાની કોશિશ કરાઈ રહી છે. આ બજેટમાં 1000 વઘારે મંડીઓને ઓનલાઈન જોડવાનો પ્રયાસ છે. ખેડૂત પાકને ક્યાંય પણ વેચી શકે છે. તેઓએ કહ્યું કે સરકાર ખેડૂતોને આત્મનિર્ભર અને કૃષિને લાભપ્રદ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રદેશમાં લાગૂ પીએમ સ્વામિત્વ યોજનાનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું કે હવે ગામની જમીનનો એક એક કાગળ તેના સ્વામીને અપાયો છે. જમીનના યોગ્ય કાગળ હશે તો તેનું મૂલ્ય વધશે અને સરળતાથી ઉધાર પણ મળશે. તમે ક્યાંય પણ રહો તમારી જમીન પર કોઈ નજર રાખી શકશે નહીં. તેનો મોટો લાભ નાના અને ગરીબ ખેડૂતોને થશે.
તસવીર બદલાઈ રહી છે, ગોરખપુર તેનું સાક્ષી છે
પીએમ મોદીએ કહ્યું કે દેશની તસવીર બદલાઈ રહી છે. તેનુ મોટું ઉદાહરણ ગોરખપુર પણ છે. આ ક્રાંતિકારીઓની ધરતી છે. પહેલાં અહીં સ્થિતિ ખરાબ હતી, કારખાના બંધ હતા, રસ્તા ખરાબ અને હોસ્પિટલ પોતે જ બીમાર હતી. હવે ગોરખપુર ખાદ્ય કારખાનું શરૂ થયું છે. એમ્સ તૈયાર થઈ રહી છે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લોકોના જીવ બચાવી રહ્યા છે. સીએમ યોગીના નેતૃત્વમાં ગોરખપુરના લોકોનું જે કામ થયું છે તે પ્રશંસનીય છે. આજે અહીં ફોરલેન, સિક્સ લેન બની રહ્યા છે.અહીંથી 8 શહેરો માટે ફ્લાઈટ શરૂ થઈ છે. આ વિકાસ દરેક સ્વાતંત્ર્ય સેનાનીને દેશની શ્રધ્ધાંજલિ છે.
इस बजट में देशवासियों पर कोई बोझ नहीं बढ़ाया गया। बल्कि देश को आगे बढ़ाने के लिए सरकार ने ज़्यादा से ज़्यादा खर्च करने का फैसला लिया है। ये खर्च देश में चौड़ी सड़के बनाने के लिए होगा, नई बसें और रेल चलेगी, युवाओं को ज़्यादा अच्छे अवसर मिले उसके लिए बजट में अनेक फैसले लिए हैं: PM pic.twitter.com/Tgvu3NKi6m
પીએમ મોદીએ કહ્યું કે દેશની એકતા સૌથી પહેલાં છે. દેશનું સમ્માન સૌથી વધારે છે. જે યાત્રા શરૂ કરી છે તેને નવા ભારતના નિર્માણ સાથે પૂરી કરીશું. તેઓએ કહ્યું કે આખું વર્ષ એક વાત ન ભૂલો કે જે ક્રાંતિકારી શહીદ થયા છે તેમના કારણે આજે આપણે સ્વતંત્ર છીએ. દેશને માટે જીવવાનો સંકલ્પ લો. તેમને સૌભાગ્ય મળ્યું બલિદાનનું અને આપણને સૌભાગ્ય મળ્યું દેશ માટે જીવવાનું. આ અવસર આપણા માટે સંકલ્પ, સપનાને પૂરા કરવાનો અવસર બનવો જોઈએ.
બજેટમાં ખેડૂતો માટે અનેક વ્યવસ્થાઓઃ પીએમ
પીએમએ બજેટના વખાણ કર્યા. કહ્યું કોરોનામાં જે માર સહન કરવો પડ્યો છે તેના કારણે નાગરિકો પર કર વધારવો પડી રહ્યો છે. કોઈ કર વધારાયો નથી પરંતુ સરકારે વધારેને વધારે ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. આ ખર્ચ દેશમાં સડક બનાવવા, ગામ, શહેર અને મંડીઓને જોડવા માટે, પુલ, રેલ, નવી ટ્રેન્સ, નવી બસ, સારી શિક્ષણ વ્યવસ્થા, યુવાઓને રોજગારીના અવસર મળે તે માટે કરાશે. બજેટમાં અનેક નિર્ણય લેવાયા છે. લાખો યુવાનોને રોજગાર માટે નવા રસ્તા ખુલશે.