લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થવામાં બસ થોડાક જ દિવસ બાકી રહ્યા છે. એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા મુદ્દા પર ખુલીને પોતાના મંતવ્ય રાખ્યા છે. એક ખાનગી ચેનલને આપેલા સાક્ષાત્મકમાં પ્રધાનમંત્રીએ ચૂંટણી રણનીતિઓથી લઇને ગાંધી નહેરુ પરિવાર, રામ મંદિર, કોંગ્રેસનું ઘોષણાપત્ર, રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધીના રાજકારણને લઇને પણ વાતચીત કરી, પીએમ મોજીએ ભાગેડું નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યાની સાથે મુસલમાનોથી ભાજપના સંબંધો પર પણ ખુલીને ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ જમ્મુ કાશ્મીરમાં પીડીપીના સમર્થનથી સરકાર બનાવવાને લઇને કહ્યું, 'જે દિવસે અમે ગઠબંધન કર્યું એ સમયે મુફ્તી મોહમ્મદ સઇદ સાહેબ હતા, તે એક વરિષ્ઠ, અનુભવી અને પરિપક્વ નેતા હતા. તેઓ ચીજોને સમજતા હતા, અમારી વિચારધારોઓ અલગ હતી. એક રીતે આ મહામિલાવટી સરકાર હતી. કોઇ પણ પરિસ્થિતિમાં આ સરકાર બની જ શકે નહીં.'
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું, 'અમે સરકાર ચલાવવાનો પ્રયત્ન કર્યો અને ઘણા સારા કામ પણ કર્યા. પરંતુ મુફ્તી સાહેબ ચાલ્યા ગયા. હવે મહેબૂબા જી ની સાથે કામ કરવાનું હતું. મહેબૂબાની કામ કરવાની રીત અલગ હતી. પછી એક મહત્વપૂર્ણ મુદ્દો આવ્યો જેના કારણે સરકાર તૂટી.
કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીની બે સીટોથી ચૂંટણી લડવાને લઇને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જે કોંગ્રેસે દેશના ટુકડા કર્યા, કોંગ્રેસે રાજકારણ માટે આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો ઝઘડો કરાવ્યો, એ ચૂંટણી ક્યાંથી લડે ક્યાંથી ના લડે એ મારો વિષય નથી.