લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાના મતદાન પહેલા ભોપાલ ભાજપના ઉમેદવાર ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને દેશભક્ત કહ્યા હતા. જો કે વિવાદ થતાં તેમણે માફી માગી હતી. પરંતુ આ મામલે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પર ગુસ્સે થયા છે.
શું કહ્યું મોદીએ?
ભોપાલ ભાજપના ઉમેદવાર ફરી વિવાદમાં આવ્યા છે. સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા. આ નિવેદન બાદ દેશભરમાં વિરોધ થયો હતો અને રાજકીય ગરમાવો નોંધાયો છે. નાથુરામ ગોડસેના નિવેદન બાદ આ વાતને લઈને નરેન્દ્ર મોદી નારાજ થાય છે. તેમણે સાધ્વીના નિવેદન પર દુ:ખ વ્યકત કર્યું હતું. તેમણે કહ્યું કે, પ્રજ્ઞા સાધ્વીને ક્યારેય માફ નહીં કરે.
गांधी जी या गोडसे के बारे में जो बयान दिए गए हैं वो बहुत ख़राब है और समाज के लिए बहुत गलत हैं।
ये अलग बात है की उन्होंने माफ़ी मांग ली, लेकिन मैं उन्हें मन से कभी माफ़ नहीं कर पाऊंगा: पीएम मोदी #DeshKaGauravModi
આ મામલે ભાજપે સાધ્વીના નિવેદનને પોતાનું અંગત નિવેદન કહ્યું હતું. સલાહ આપી હતી કે તેઓ માફી માગે. ત્યાર બાદ સાધ્વીએ આ નિવેદન પર પાર્ટીની લાઇન એ મારી લાઇન છે તેવું કહ્યું હતું. પરંતુ અમિત શાહથી લઈને ભાજપના તમામ મોટા નેતા આ નિવેદન બાદ પ્રજ્ઞા પર ગુસ્સે ભરાયા છે.
આ ઉપરાંત પ્રજ્ઞા ઠાકુર અંગે અમિત શાહે કહ્યું કે, પાર્ટી તરફથી પ્રજ્ઞા ઠાકુરને શો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. 10 દિવસની અંદર નોટિસનો જવાબ આપવા માટે જણાવ્યું છે. નવી સરકાર ભાજપ બનાવવાનો દાવો વ્યકત કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, સાધ્વી પ્રજ્ઞા માલેગાંવ બ્લાસ્ટના આરોપી છે. તેમને ભાજપે મધ્યપ્રદેશના ભોપાલથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. તેમની ઉમેદવારી કરી ત્યારથી તેઓ વિવાદીત નિવેદન કરીને હંમેશા વિવાદમાં રહ્યા છે. પહેલા તેમણે બાબરી મસ્જીદ પર નિવેદન કર્યું હતું પછી તેમણે મુંબઈ હુમલાના શહીદ IPS હેમંત કરકરે પર આરોપ લગાવી વિવાદ ઉભો કર્યો હતો.
હવે તેમણે નાથુ રામ ગોડસેને દેશભક્ત કહેતા આ નવો વિવાદ શરૂ થયો છે. આમ હાલ આ વિવાદમાં સાધ્વીએ કહ્યું છે કે પાર્ટીની લાઇને છે એ મારી લાઇન છે. પરંતુ મોદીના માફ નહીં કરુંના નિવેદન બાદ વિવાદ વધુ વકર્યો છે.