કેરળમાં કુદરતનો કેર આફત બનીને વરસ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેદ્ર મોદી કેરળ પહોંચ્યા છે. પીએમ મોદી કેરળમાં સર્જાયેલી તારાજીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે. ઉપરાંત કેરળના કોચીમાં પહોંચ્યા હતા અને સીએમ પી.વિજયન સાથે બેઠક યોજીને કેરળના પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેદ્રીય મંત્રી કે.જે.આલ્ફોન્સ સહિતના અન્ય મંત્રીઓ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કેરળમાં 324 લોકોના જીવન પર વરસાદી પાણી ફરી વળ્યુ છે અને હજારો લોકો બેઘર બન્યા છે. કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશી આફત વરસી રહી છે. અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ થવાથી તારાજી સર્જાઈ છે અને ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.
RAFના જવાનોની ટીમ પૂર અસરગ્રસ્ત લોકોની મદદે પહોંચી રહ્યા છે. ત્યારે કેરળમાં સર્જાયેલી આ કુદરતી આફતની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. સીએમ પી.વિજયન સાથે બેઠક યોજીને કેરળના પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરી હતી.