નવી દિલ્હીઃ અન્ના હજારેની આતુરતાનો હવે અંત આવ્યો છે. છેલ્લાં ચાર વર્ષથી વયોવૃદ્ધ સમાજ સેવી અન્ના હજારે સતત પીએમ મોદીને પત્ર લખી રહ્યાં છે. લોકપાલ બીલને પસાર કરવાની માગ સાથે અન્ના હજારેએ 2014માં સત્તા પર આવેલા પીએમ મોદીને પત્ર લખ્યા છે.
પરંતુ તેમને ક્યારેય પીએમ તરફથી વળતો જવાબ મળ્યો નથી. પણ હવે પીએમ ઓફિસથી અન્ના માટે પ્રધાનમંત્રી મોદીએ સંદેશ મોકલ્યો છે. 2014થી અત્યાર સુધીમાં અન્ના હજારે પીએમને 15 પત્ર લખી ચૂક્યા છે.
તેમનો મુખ્ય ઉદ્દેશ લોકપાલ બીલને કાયદાકીય રીતે લાગુ કરવાનો હતો. પરંતુ પીએમ મોદીને ચાર વર્ષમાં એકવાર પણ હજારેના પત્રનો જવાબ આપવાની જરૂર ના લાગી.
ઉલ્લેખનીય છે કે અન્ના હજારે લોકપાલ બીલ પસાર કરવાની માગ સાથે દિલ્લીના રામલીલા મેદાન પર અઠવાડિયા માટે ઉપવાસ પર ઉતર્યા હતા.