કોરોનાની મહામારીમાં લોકડાઊનને કારણે જનજીવનને જ નહીં આર્થિક રીતે પણ લોકોને ખાસ્સો એવો માર પડ્યો હતો ત્યારે મોદી સરકારે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી જેમાંથી 17 લાખ કરોડ હજુ સુધી ક્યાં વપરાયા તેનો હિસાબ સરકાર પાસે નથી. આ અંગે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને પ્રશ્ન પૂછ્યો હતો. ગુજરાત - રૂ. 12,005.92 કરોડની કેન્દ્રની સહાય મળી છે. જે ગુજરાત સરકારે કેન્દ્રને પરત કરવા પડશે.
આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત
1.20 લાખ કરોડ રૂપિયા વિવિધ રાજ્યોને આપવામાં આવ્યા
કેન્દ્રના 20 લાખ કરોડના આર્થિક ઉત્તેજના પેકેજમાંથી, ફક્ત ત્રણ લાખ કરોડ રૂપિયાની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ (ECLGH) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પૂણે સ્થિત ઉદ્યોગપતિ પ્રફુલ્લ સારાદા દ્વારા દાખલ કરવામાં આવેલી RTIના જવાબમાં મળેલી માહિતી કંઈક ઔર જ રાગ આલાપી રહી છે. RTIમાં સરકારે રાજ્યોને આપવામાં આવેલ સહાયની માહિતી આપી છે પરંતુ બાકીની રકમ અંગે કોઈ ખુલાસો કે માહિતી આપી નથી.
રાહુલ ગાંધીએ પણ કર્યુ ટ્વીટ
રાહુલ ગાંધીએ પણ કહ્યુ કે આ એક લોલીપોપ જ હતી. આમ કહેતા તેમણે આ RTI દ્વારા જે ન્યૂઝ રિપોર્ટ લખવામાં આવ્યો છે તેનું કટીંગ પણ શેર કર્યુ છે.
મંજૂર થયેલી રકમમાંથી, લગભગ 1.20 લાખ કરોડ રૂપિયા વિવિધ રાજ્યોને આપવામાં આવ્યા છે. જેને દેશની જન સંખ્યા 130 કરોડ ભારતીઓ દીઠ ગણીએ તો તે વ્યક્તિ દિઠ 8 રૂપિયા થાય. જે પાછળથી રાજ્ય સરકારોએ કેન્દ્રને પાછા આપવા પડશે.
આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત
મે મહિનામાં નરેન્દ્ર મોદી સરકારે કોરોના સંકટને પહોંચી વળવા આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. RTI દ્વારા આ પેકેજની રકમની વહેંચણી અને વધેલી રકમ અંગેની માહિતી માંગવામાં આવી હતી. RTIમાં પેકેજની ક્ષેત્ર અને રાજ્ય મુજબની લોન અને સરકાર પાસે બાકી રહેલી રકમ વિશે માહિતી માંગવામાં આવી હતી. રાજ્યોએ ECLGH યોજના દ્વારા રાજ્યોને આપવામાં આવેલ લોન વિશે માહિતી આપવામાં આવી છે.
પ્રફુલ્લ સારદા પૂછે છે કે પેકેજની ઘોષણા થયાના આઠ મહિના પછી બાકીના 17 લાખ કરોડ રૂપિયા ક્યાં છે? શું તે ભારતીયો માટે લોલીપોપ હતી? ECLGHની રજૂઆત MSMEs અને અન્ય ક્ષેત્રના વ્યવસાયો કે જે કોરોનાની મહામારીમાં ભાંગી પડ્યા હતા તેને બેઠું કરવા જાહેર કરાયા હતા. આ પેકેજની જાહેરાત મહામારીની અસરથી લોકડાઉન દરમિયાન મંદી દૂર કરવામાં મદદ કરવા માટે કરવામાં આવી હતી. MSMEs અને મુદ્રા લોન ઉપરાંત, સરકારે વ્યવસાય માટે વ્યક્તિગત લોનને આવરી લેવા માટે ઇસીએલજીએસ યોજનાનો વિસ્તાર પણ વધાર્યો હતો.
કયા કયા સહાય પેકેજ જાહેર કરાયા?
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઘોષણા બાદ નાણાં પ્રધાને 13 મેથી 17 મે દરમિયાન યોજાયેલી અનેક પ્રેસ કોન્ફરન્સમાં એએનબીપી 1.0 ની જાહેરાત કરી હતી. ત્યારબાદ, 12 ઓક્ટોબરના રોજ પેકેજ 2.0 અને ત્રીજા પેકેજની જાહેરાત 12 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી.