ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારનો છેલ્લો દિવસ, અમદાવાદમાં PM મોદીનો રોડ-શો
PM મોદીનો દમદાર પ્રચાર
સતત બીજા દિવસે PM મોદીનો રોડ-શો
અમદાવાદમાં PM મોદીનો રોડ-શો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. બીજા તબક્કાને લઈ PM મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે તેમજ આજે તેમના પ્રચારનો છેલ્લો દિવસ છે. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે મહિનામાં સરકારી અને પાર્ટીના કુલ 61 કાર્યક્રમોમાં હાજરી આપી છે. આ સાથે PM મોદીએ ભાજપની કુલ 38 સભાઓને સંબોધી છે. જોકે PM મોદીએ ચૂંટણી પ્રચારમાં 100 કરતા વધુ વિધાનસભા બેઠકોને કવર કરી દીધી છે. અમદાવાદમાં PM મોદીનો રોડ-શો આયોજન કરવામાં આવ્યો છે
અમદાવાદમાં PM મોદીનો રોડ-શો
અમદાવાદમાં આજે સતત બીજા દિવસે પણ PM મોદીનો રોડ-શો યોજાશે. બીજા તબક્કાની ચૂંટણીને લઈ ખુદ PM મોદીએ મોર્ચો સંભાળ્યો છે. શાહીબાગથી સભા સ્થળ સુધી PMનો રોડ શો યોજાઈ રહ્યો છે. શાહીબાગ ડફનાળાથી સરસપુર સુધી PMનો રોડ શો છે જેમાં 5 વિધાનસભા વિસ્તારમાં આવરી લેવાશે.
PM મોદીના પ્રચંડ પ્રચારની કેટલી અસર થશે?
સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ જોરશોરથી પ્રચાર કરતા રહ્યા છે અને આજે વડાપ્રધાનના પ્રચારનો છેલ્લો દિવસ છે. જોકે સત્તાધારી પક્ષ ભાજપના ઝંઝાવાતી પ્રચારને કારણે રાજ્યમાં એન્ટી ઈન્કમ્બન્સીનો માહોલ પણ ન બની શક્યો. તેનો સીધો ફાયદો સત્તાધારી ભાજપને મળતો જોવા મળી રહ્યો છે. હવે આગામી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જે બાદમાં 8 ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદ જ જાણી શકાસે કે, વડાપ્રધાનના પ્રચંડ પ્રચારની અસર કેટલી થઈ ?