કોરોનાની રસી લેતા પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છે.
રસી લેતા પહેલા PMનો વીડિયો આવ્યો સામે
રીક્ષામાં નિકળ્યા પ્રધાનમંત્રી મોદી
વહેલી સવારે લીધી કોરોનાની વેક્સિન
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇપણ પ્રકારની સુરક્ષા વગર કોરોનાની વેક્સિન લેવા માટે એઇમ્સ જવા રવાના થયા હતા અને તેઓએ રિક્ષામાં મુસાફરી કરી હતી.
પ્રધાનમંત્રી મોદીની રિક્ષામાં સવારીનો વીડિયો આવ્યો સામે
પ્રધાનમંત્રી રિક્ષામાં દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ તરફ જઇ રહ્યા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે. જો કે, એઇમ્સના કોવિડ સેન્ટરમાં તેઓ ગાડીમાંથી બહાર આવ્યા હતા.
વહેલી સવારે લીધી કોરોનાની વેક્સિન
કોરોનાના રસીકરણના બીજા ચરણની આજથી શરુઆત થઈ ગઈ છે. આની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. પીએમ મોદી સવારમાં નવી દિલ્હી સ્થિત એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. આની સાથે પીએમ મોદીએ લોકોને કોરોનાની રસી લગાવવા માટે અપીલ કરી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કરી
પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે મે એમ્સમાં કોરોનાની રસીનો મારો પહેલો ડોઝ લીધો. આ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યુ છે.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
હું તે તમામને અપીલ કરુ છું કે જે રસી લેવા માટે યોગ્ય છે તેઓ લે. સાથે ભારતને કોરોના મુક્ત બનાવે.
પીએમ મોદીએ ભારત બાયોટેકની કોવેક્સીનનો ડોઝ લીધો
ખાસ વાત એ છે કે પીએમ મોદીએ સોમવારે જે રસીનો ડોઝ લીધો છે તે ભારત બાયોટેકની કોવેક્સીન છે. આ રસીને ભારત બાયોટેકે ડેવલપ કરી છે. વિપક્ષ દ્વારા આ રસીને મંજૂરી આપવા પર અનેક સવાલ ઉભા કરવામાં આવ્યા હતા. સાથે રસીની ગંભીરતા પર નિશાન સાધવામાં આવ્યું હતુ. એટલું જ નહીં ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટની વચ્ચે રસીને લઈને વિવાદ થયો હતો. પરંતુ પીએમ મોદીએ કોવેક્સીન લઈ તમામ પશ્નો પર પુર્ણ વિરામ લગાવી દીધું છે.
નર્સને કહ્યું- લગા ભી દી ઔર પતા ભી નહીં ચલા
પીએમ મોદીએ સોમવારે એમ્સમાં કોવિડ 19ની રસીનો પહેલો ડોઝ લીધો અને તે તમામ લોકોને રસી લગાવવા માટે અપીલ કરી જે બીજા ચરણના અભિયાન હેઠળની યોગ્યતા ધરાવે છે. તેમણે પોન્ડિચેરીની રહેવાસી સિસ્ટર પી નિવેદાએ ભારત બાયોટેકની કોવૈક્સીન લગાવી આ બાદ પીએમ મોદીએ સિસ્ટર નિવેદાને કહ્યું, ‘લગા ભી દી, પતા ભી નહીં ચલા.’