પ્રધાનમંત્રી મોદીએ આજે જનપદ વારાણસીમાં કોવિડ-19ની સ્થિતિ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા સમિક્ષા બેઠક કરી હતી. PMએ વારાણસીના અધિકારીઓ સાથે ચર્ચા કરી.
PM મોદીએ વારાણસીમાં કોવિડ સ્થિતિની કરી સમીક્ષા
વારાણસીના ઉચ્ચ અને સ્થાનિક અધિકારીઓ જોડાયા
બે ગજની દૂરી, માસ્ક છે જરૂરીઃ PM મોદી
આ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા કોરોનાના બચાવ અને કોરોના સંક્રમિત દર્દીઓના યોગ્ય સારવાર હેતુ ટેસ્ટિંગ, બેડ, દવાઓ, વેક્સિન અને મેન પાવર સહિતની માહિતી લેવામાં આવી. તેમણે જનતાને તમામ સંભવ મદદ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા.
બે ગજની દૂરી, માસ્ક છે જરૂરીઃ PM મોદી
ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી વિશેષ રીતે ભાર આપતા કહ્યું કે, 'બે ગજની દૂરી, માસ્ક છે જરૂરી'નું પાલન તમામ લોકો દ્વારા કરવામાં આવ્યો. પ્રધાનમંત્રીએ વેક્સિનેશન અભિયાનના મહત્વ પર જોર આપતા કહ્યું કે, તંત્ર 45 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને આ હેતુથી જાગરૂક કરે. તેમણે તંત્રને પણ તમામ સંવેદનશીલતાથી વારાણસીના લોકોની સંભવ મદદ કરવા કહ્યું.
પીએમ મોદીએ દેશના તમામ ડૉક્ટરો, તમામ મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ સંકટના સમયમાં પણ તેઓ પોતાના કર્તવ્યનું નિષ્ઠાપર્ણ પાલન કરી રહ્યા છે. અમે ગત વર્ષના અનુભાવોથી શીખતા સતર્ક રહીને આગળ વધવાનું છે.
'ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ'
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વારાણસીના પ્રતિનિધિના રૂપમાં તેઓ સામાન્ય જનતાથી પણ સતત ફીડબેક લઇ રહ્યા છે. વારાણસીમાં છેલ્લા 5-6 વર્ષોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તાર અને આધુનિકીકરણથી કોરોના સામે લડવામાં મદદ મળી છે. આ સાથે વારાણસીમાં બેડ્સ, આઈસીયૂ અને ઓક્સીજનની ઉપલબ્ધતાને વધારવામાં આવી રહી છે. દર્દીઓની વધતી સંખ્યાથી ઉત્પન્ન દબાણને જોતા દરેક સ્તરે પ્રયાસ વધારવાની જરૂરિયાત પણ પ્રધાનમંત્રી વધારે જોર આપ્યું છે. તેમણે કહ્યું કે, જે રીતે વારાણસી તંત્રએ ઝડપ સાથે કાશી કોવિડ રિસ્પોન્સ સેન્ટર સ્થાપિત કર્યું છે, તેવી જ ઝડપ દરેક કામમાં લાવવી જોઇએ.
પીએમ મોદીએ ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ પર જોર આપતા કહ્યું કે, પહેલી લહેરની જેમ જ વાયરસ સામે જીતવા માટે આ રણનીતિ અપનાવવી પડશે. તેમણે સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવતા લોકોના ટેસ્ટ રિપોર્ટ્સને જલ્દીધી ઉપલબ્ધધ કરાવવા કહ્યું. તેમણે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓ અને તેમના પરિવારજનો પ્રત્યે પણ તમામ જવાબદારીઓના સંવેદનશીલ રીતે નિભાવવાનો નિર્દેશ આપ્યો.