રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં ચર્ચા પર પીએમ નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ગૃહને જોઇને અપેક્ષાઓ હતી, પરંતુ ઘણીવાર લાગે છે કે, તેઓ આગળ વધવા જ નથી માંગતા, ત્યાંના ત્યાં જ છો. ક્યારેક એવું લાગે છે કે તેઓ પાછળ જઇ રહ્યા હોય. જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, હવે દેશના અન્ય લોકોની જેમ જમ્મૂ-કાશ્મીરના લોકોને પણ એ તમામ સુવિધાઓ મળવા લાગી છે જે તેઓનો હક હતો.
રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં ચર્ચા પર પીએમ નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો
પીએમ મોદીએ કહ્યું, ગૃહને જોઇને અપેક્ષાઓ, પરંતુ લાગે છે તેઓ આગળ વધવા જ નથી માંગતા
જમ્મૂ કાશ્મીરમાં પહેલી વાર સ્ટાર્ટ અપ પોલિસી અને લોજિસ્ટિક પોલિસી પણ બની અને લાગુ કરાઇ
પીએમ મોદીએ કહ્યું, ઉપલા ગૃહથી દેશને અપેક્ષા હતી, પરંતુ તેઓને પણ નિરાશા હાથ લાગી. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, અનુચ્છેદ 370ને વિના કોઇ ચર્ચા કરે હટાવી દેવાયો જે પૂર્ણ રીતે ખોટો છે. પીએમ મોદીએ કહ્યું કે, આખા દેશે આ મુદ્દાને ચર્ચા દ્વારા ટીવી પર જોયો.
પીએમ મોદીએ કહ્યું કે, જમ્મૂ કાશ્મીરમાં 20 જૂન 2018એ સરકાર જવાની સાથે રાષ્ટ્રપતિ શાસન આવ્યું. અનુચ્છેદ 370 હટ્યા બાદ પહેલીવાર જમ્મૂ કાશ્મીરના ગરીબ સામાન્ય વર્ગને અનામતનો લાભ મળ્યો, પહેલી વાર પહાડી ભાષી લોકોને અનામતનો લાભ મળ્યો. પહેલીવાર મહિલાઓને આ અધિકાર મળ્યો કે જો રાજ્યની બહાર લગ્ન કરે છે તો તેમની સંપત્તિનો અધિકાર છીનવામાં નહીં આવે. પહેલી વાર સ્ટાર્ટ અપ પોલિસી અને લોજિસ્ટિક પોલિસી પણ બની અને લાગુ કરવામાં આવી.
પીએમ મોદીએ કહ્યું કે, 18 મહીનાઓમાં જમ્મૂ કાશ્મીરમાં 2.50 લાખ શૌચાલય, 30 લાખ 30 હજાર ઘરોમાં વીજળી કનેક્શન આપવામાં આવ્યા. ગત 18 મહીનામાં જમ્મૂ કાશ્મીરની તસવીર બદલાઇ ગઇ છે.
પીએમ મોદીએ કહ્યું કે, જમ્મૂ કાશ્મીર માટે પાંચ ઓગસ્ટ 2019નો દિવસ 'કાળો દિવસ' નહોતો, પરંતુ આતંકવાદ અને અલગાવવાદને પ્રોત્સાહન આપવા વાળાઓ માટે આ 'બ્લેક ડે' સાબિત થયો. ત્યાના લાખો પરિવારો માટે અમને નવો વિશ્વાસ અને આશાની કિરણ નજરે પડી રહી છે.
રવિશંકર પ્રસાદે કહ્યું, ઇન્ટરનેટનો અધિકાર મૌલિક નહીં
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું કે, ઇન્ટરનેટના મૌલિક અધિકાર હોવાની જે ખોટી ધારણા છે તેને ઠીક કરવાની જરૂર છે. તેઓએ જોર આપતા કહ્યું કે દેશની સુરક્ષા પણ એટલી જરૂરી છે. કેન્દ્રીય સંચાર અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ઉપલા ગૃહમાં પ્રશ્ન કાળ દરમિયાન કહ્યું હતું કે, ઇન્ટરનેટ દ્વારા વિચારોનો સંચાર અભિવ્યક્તિની આઝાદીના મૌલિક અધિકારનો ભાગ છે.
નોંધનીય છે કે, 10મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, તેમા કોઇ શંકા નથી કે એક લોકશાહી વ્યવસ્થામાં બોલવાની સ્વતંત્રતા અનિવાર્ય તત્વ છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અધિકાર અનુચ્છેદ 19 (1) (A) હેઠળ મૌલિક અધિકાર છે.