પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજે કૃષિ કાયદાને લઇને જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યા છે. MSP અને મંડી પર અફવાઓ ફેલાવાઇ રહી છે. કાયદો લાગુ કર્યાને કેટલાય મહિનાઓ વિતી ગયા પરંતુ કોઇ નુકસાન થયું નથી. તો પ્રધાનમંત્રી મોદીએ આંદોલનને સેલ્ફી ઇવેન્ટ ગણાવ્યું હતું.
પ્રધાનમંત્રી મોદીનું ખેડૂતોને સંબોધન
આંદોલનને ગણાવ્યું સેલ્ફી ઇવેન્ટ
કૃષિ કાયદાને ગણાવ્યા ફાયદાકારક
PM મોદીએ ખેડૂત આંદોલનને લઇને કહ્યું હતું કે, તમામ લોકો ખોટા નથી. કેટલાક ભોળા ખેડૂતોને ભડકાવવામાં આવી રહ્યા છે. પહેલા MSP પર પાક વેચાતો હતો હવે તેને આંદોલનની હવા ફુંકવામાં આવી છે. તો તેમણે એમ પણ કહ્યું કે, કૃષિ કાયદામાં ખોટું શું છે જણાવો... ખેડૂતોને આટલા અધિકારો મળી રહ્યા છે.
PM કિસાન યોજના હેઠળ દર વર્ષે 3 તબક્કામાં ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા મોકલવામાં આવે છે. 2 હજાર રૂપિયાની રકમ 3 હપ્તામાં મોકલાઇ રહી છે. આ યોજના હેઠળ આજે પ્રધાનમંત્રીએ 9 કરોડ લોકોના ખાતામાં 18 હજાર રૂપિયા ટ્રાન્ફર કર્યા છે. આ કાર્યક્રમ એવા સમયે યોજાયો જ્યારે દિલ્હીની સીમાઓ પર કૃષિ કાયદાને રદ્દ કરવાની માગને લઇને કેટલાક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.
તમારી ઉપજને તમે બીજા રાજ્યમાં વેચી શકો છો
ખેડૂતો માટે પીએમ મોદીએ કહ્યું હતું કે, 'જો તમે તમારી પેદાશો બીજા રાજ્યમાં વેચવા માંગતા હો, તો તમે તેને વેચી શકો છો. જો તમે FPO દ્વારા ઉત્પાદનને એક સાથે વેચવા માંગતા હો, તો તમે તેને વેચી શકો છો. જો તમે બિસ્કીટ, ચિપ્સ, જામ, અન્ય ગ્રાહક ઉત્પાદનોની મૂલ્ય સાંકળનો ભાગ બનવા માંગતા હો, તો તમે આ પણ કરી શકો છો.
ખેડૂતોના દરેક પગલે સરકાર તેમની સાથે ઉભી છે
પીએમએ કહ્યું કે સરકાર દરેક પગલે ખેડૂતની સાથે દરેક પગલે ઉભી છે. ખેડૂત તેની પેદાશો કોને વેચવાની ઇચ્છા રાખે છે તે ધ્યાનમાં લીધા વગર સરકારે આવી સિસ્ટમ બનાવી છે કે એક મજબૂત કાયદો ખેડુતોની તરફેણમાં ઉભો રહે. આજે નવા કૃષિ સુધારા વિશે અસંખ્ય જૂઠ્ઠાણા ફેલાઈ રહ્યા છે. કેટલાક લોકો ખેડુતોમાં મૂંઝવણ ફેલાવી રહ્યા છે કે એમએસપી નાબૂદ કરવામાં આવી રહ્યો છે કેટલાક લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે કે મંડીઓ બંધ રહેશે. હું તમને ફરીથી યાદ અપાવવા માંગું છું કે આ કાયદા લાગુ થયાના ઘણા મહિના વીતી ગયા છે, શું તમે દેશના કોઈ પણ ખૂણામાં એક જ મંડી બંધ હોવાના સમાચાર સાંભળ્યા છે? કૃષિ સુધારણા અને નવા કૃષિ સુધારણા કાયદા પછી પણ આવું બન્યું છે.
હવે એ સમય આવી ગયો છે કે, બ્રાન્ડ ઇન્ડિયાને સ્થાપીત કરવામાં આવે
પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યારે અમને બીજા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન વધારો તો અમે આવક વધારવાની સાથે તે ક્ષેત્રમાં બ્રાન્ડ ઇન્ડિયાને સ્થાપીત કરી છે. હવે સમય આવી ગયો છે બ્રાન્ડ ઇન્ડિયા દુનિયાના કૃષિ બજારમાં જાતે જ પ્રતિષ્ઠા ઉભી કરે.
પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ખૂબ જ પાવન દિવસ છે અને આજે ખેડૂતોને જે નિધિ આપવામાં આવી છે તેના કારણે એક સારો અવસર પણ બન્યો છે. પીએમ મોદીએ આજે દેશભરના લોકોને નાતાલ, ગીતા જયંતી અને મોક્ષદા અગિયારસ પર શુભકામનાઑ પણ આપી.
પીએમ મોદીએ પૂર્વ પીએમને યાદ કરતાં કહ્યું કે અટલજીએ પણ પોતાનું આખું જીવન ગીતા અનુસાર જ રાખ્યું અને ગીતાના સંદેશ પર જ ચાલતા રહ્યા. તેમણે દેશના લોકોના વિકાસને પ્રાથમિકતા આપી હતી. રાષ્ટ્રજીવનમાં સાર્થક ફેરફાર કરવા માટે કામ અટલજીએ કર્યું.
પીએમ મોદીએ કહ્યું કે હવે દિલ્હીથી દેશના ગરીબ માટે જે પૈસા નીકળે છે તે સીધા જ તેના ખાતામાં જાય છે અને કોઈ પૈસા ખોટા હાથમાં જતાં નથી. આજે દેશના નવ કરોડથી વધારે ખાતામાં 18 હજાર કરોડથી વધારે રકમ જમા કરવામાં આવી છે અને આ યોજના શરૂ થઈ છે ત્યારથી એક લાખ દસ હજાર કરોડ રૂપિયાની વધારે પૈસા ખેડૂતોના ખાતામાં પહોંચી ગઈ છે અને આ જ તો ગુડ ગવર્નન્સ છે.
બંગાળ સરકાર પર જોરદાર નિશાન
પીએમ મોદીએ કહ્યું કે મને આજે એક વાતનો અફસોસ પણ છે કે દેશના બધા જ રાજ્યના ખેડૂતો આ યોજનાથી જોડાયેલી છે પણ એક માત્ર પશ્ચિમ બંગાળના લાખો ખેડૂતો લાભ નથી લઈ શકતા કારણ કે બંગાળની સરકાર પોતાના કારણોથી જ્યાં રાજ્ય સરકારને તો કોઈ ખર્ચો પણ નથી કરવાનો તો પણ રાજ્ય સરકાર અડચણ પેદા કરી રહી છે. ત્યાંની સરકાર બધુ અટકાવીને બેસી ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે જે લોકોએ 30-30 વર્ષ સુધી બંગાળ પર રાજ કરતાં હતા અને મમતાજીના 15 વર્ષ જૂન ભાષણ સાંભળશો તો ખ્યાલ આવી જશે કે તે સમયે કઈ રીતે સરકારો ચલાવી રહ્યા હતા.
PM Narendra Modi releases Rs 18,000 crore as the next instalment under the Pradhan Mantri Kisan Samman Nidhi scheme to over 9 crore farmers pic.twitter.com/3vxIAvgwF3
પીએમ મોદીએ કહ્યું કે જે લોકો પંજાબ આવીને આંદોલન કરી રહ્યા છે તે પ. બંગાળમાં કેમ કોઈ આંદોલન નથી કરી રહ્યા. દેશની જનતા આ ખેલને જાણે છે અને જે આજે વિપક્ષમાં છે તે કેમ ચૂપ છે. જે નેતાઑ આ રાજકીય પ્રવાહમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છે પણ દેશે તે લોકોને જોઈ લીધા છે.
કડક શબ્દોમાં વિપક્ષને સંદેશ
પીએમ મોદીએ કડક શબ્દોમાં કહ્યું કે આ એ જ લોકો છે જે દેશમાં વર્ષો સુધી સત્તામાં રહ્યા છે અને તેમની નીતિઑના કારણે સૌથી વધારે બરબાદ ખેડૂતો જ થયા. નાના ખેડૂતોને બેન્કમાંથી પૈસા ન હતા મળતા કારણ કે તેમની પાસે તો ખાતું જ ન હતું. નાના ખેડૂતોને પાણી, વીજળી મળતી ન હતી અને તે ગરીબ ખેડૂત જે પેદા કરતો હતો તેને વેચવામાં પણ હાલત ખરાબ થઈ જતી હતી. દેશવાસીઑને યાદ અપાવવા માંગુ છું કે આ ખેડૂતોની સંખ્યા દસ કરોડથી પણ વધારે છે, જે વર્ષો સુધી સત્તામાં રહ્યા તેમણે માત્ર વાયદા કર્યા અને ભૂલાવી દીધા. ગરીબ ખેડૂત વધારેને વધારે ગરીબ થતાં રહ્યા.
પીએમ મોદીએ આંદોલન કરી રહેલા લોકોમાં જે આવી ગયા છે તેમની સરકાર કેરળમાં છે પણ તે રાજ્યમાં તો APMC જ નથી. તો આ બધી પાર્ટીઑ તે રાજ્યમાં કેમ જતી નથી ? પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકોએ તમને ઓળખી લીધા છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અમે સત્તામાં આવ્યા ત્યારે ખેડૂતો માટે સાત લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને હવે તે વધીને 14 લાખ કરોડ થઈ ગયા છે જેથી દેશના ખેડૂતોને આરામથી લોન મળી શકે.
પીએમ મોદીએ કહ્યું કે જે આજે ખેડૂતો માટે રડી રહ્યા છે તે લોકો જ્યારે સરકારમાં હતા ત્યારે શું કર્યું તે દેશના બધા જ ખેડૂતો જાણે જ છે.
જમીન છીનવાઇ જશે તે મુદ્દે આડકતરી રીતે પીએમનો સંદેશ
નોંધનીય છે કે પીએમ મોદીએ વિવિધ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો અને તેમાં અરુણાચલના એક ખેડૂત સાથે સંવાદ કરતાં તેમને પૂછ્યું કે શું તમે જ્યારે પ્રાઇવેટ કંપનીને આદું વેચો છો ત્યારે તે જમીન તો નથી લઈ જતાં ને ? તે બાદ પીએમ મોદીએ કહ્યું કે તમને વિશ્વાસ છે કે જમીન નહીં જાય પણ દેશમાં કેટલાક લોકો આવા ભ્રમ ફેલાઈ રહ્યા છે કે પ્રાઇવેટ કંપની જમીન પણ લઈ જશે.
મધ્ય પ્રદેશના ખેડૂત સાથે ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જે લોકો આજે ખેડૂત આંદોલન પર બેઠા છે તે પહેલા ગુજરાતમાં પણ વિરોધ કરતાં હતા.
આજે પૂર્વ પીએમ અટલ બિહારીની જન્મ જયંતી છે ત્યારે ઓડિશાના એક ખેડૂત સાથે વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે અટલજીની સરકારે જ ખેડૂતોને સસ્તામાં લોન આપવાની શરૂઆત કરી હતી જેને અમે આગળ વધારી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે કેટલાક લોકો આજકલ ખેડૂતોની જમીનની ચિંતા કરી રહ્યા છે તે લોકો ત્યારે ક્યાં હતા જ્યારે ખેડૂતોની જમીન લઈ લેવામાં આવતી હતી ? તેમણે કહ્યું કે આજે હવે ખેડૂતોને જમીન અને ઘર માટે દસ્તાવેજ અમે આપી રહ્યા છે.