તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ તથા ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને લઇને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર તેમણે 18 વર્ષમાં તેમણે પાંચ વખત કર રિફંડ લીધેલ છે.
રાહુલ ગાંધીને આટલા જ સમયગાળામાં 6 વખત ટેક્સ રિફંડ કરવામાં આવેલ છે. તો નાણાંકીય વર્ષ 2015-16 અને 2012-13 દરમિયાન આઉટસ્ટેંન્ગિડ ડિમાન્ડને લઇને વડાપ્રધાન મોદીને મળતું રિફંડ સમ્મિલિત કરી દેવામાં આવ્યું. આવું જ રાહુલ ગાંધી સાથે 2011-12માં થયું હતું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીને 2001-2002થી અત્યાર સુધીમાં પાંચ વખત આયકર રિફંડ મળ્યું છે. પોતાના નામાંકન પત્રમાં આપેલી જાણકારીમાં આપેલા પાન નંબરના આધારે આ જાણકારી આયકર વિભાગના રિફંડ સ્ટેટસ સર્વિસમાંથી આ માહિતી બહાર કાઢવામાં આવી હતી.
આ તરફ ભાજપના દિગ્ગજ નેતા અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના સંબંધિત જાણકારી પણ બહાર લાવવામાં આવી તો સામે આવ્યું કે, 2015-2016માં તેમને મળતા ટેક્સ રિફંડ આઉટસ્ટેન્ડિંગના ચાલતા સમ્મિલિત કરી દેવામાં આવ્યું. આ સિવાય ગત 18 વર્ષોમાં તેમને કોઈ પણ પ્રકારનું રિફંડ મળવાની કોઈ જાણકારી પ્રાપ્ત થયેલ નથી.