યુપીના હરદોઈમાં ચૂંટણી રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ બોંબ બ્લાસ્ટને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
યુપીના હરદોઈમાં પીએમ મોદીએ રેલીને સંબોધી
અમદાવાદ બોંબ બ્લાસ્ટને લઈને PM મોદીનું મોટું નિવેદન
કહ્યું-કેટલીક પાર્ટીઓ આતંકીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે
યુપીના હરદોઈમાં મોટી ચૂંટણી રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ તાજેતરના અમદાવાદ બોંબ બ્લાસ્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને વિરોધીઓ પર વાર કર્યો હતો. અમદાવાદ બોંબ બ્લાસ્ટની યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે કોર્ટે અમદાવાદ બોંબ બ્લાસ્ટના દોષિતોને કોર્ટે સજા ફટકારી છે. મોદીએ કહ્યું કે કેટલીક પાર્ટીઓ આતંકીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. મોદીએ કહ્યું કે અમદાવાદમાં સાયકલ પર બોંબ પ્લાન્ટ કરાયા હતા.
PM Modi recalls Ahmedabad bomb blasts, says some parties sympathetic to such terrorists
તેમના ચૂંટણી ચિન્હ સાયકલ પર રખાયા હતા અમદાવાદમાં બોંબ બ્લાસ્ટ-મોદી
પીએમ મોદીએ સમાજવાદી પાર્ટીના ચૂંટણી ચિન્હ સાયકલને અમદાવાદ બોંબ બ્લાસ્ટ સાથે જોડતા જણાવ્યું કે હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે તે દરમિયાન અમદાવાદમાં પણ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. હું તે દિવસને ક્યારેય ભૂલી શકતો નથી. એ જ દિવસે મેં સંકલ્પ કર્યો હતો કે મારી સરકાર આ આતંકવાદીઓને પાતાળમાંથી શોધીને સજા આપશે. "એક સમયે મુંબઈમાં બોમ્બ ફૂટતા હતા, પછી એક દિવસ દિલ્હી, જયપુર, બેંગલુરુ, હૈદરાબાદ, ગુવાહાટી, લુધિયાણા, અગરતલા, ઇમ્ફાલમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા, તે સમય દરમિયાન કેટલા શહેરોમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા, તે હુમલાઓમાં કેટલા નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. મોદીએ કહ્યું કે, તમે બધા જાણો છો કે જ્યારે આતંકવાદી હુમલો થાય છે, આતંકવાદ વધે છે, ત્યારે સૌથી મોટું નુકસાન ગરીબ, મધ્યમ વર્ગને ભોગવવું પડે છે. જ્યારે આતંકવાદી હુમલો થાય છે, સામાન્ય માણસનું જીવન પ્રભાવિત થાય છે, વેપારને અસર થાય છે, પર્યટન થંભી જાય છે.
2006ના કાશી બોંબ વિસ્ફોટનો ઉલ્લેખ
પીએમ મોદીનો આરોપ છે કે 2006માં પણ કાશીમાં બોંબ વિસ્ફોટ થયો હતો. સંકટ મોચન મંદિરમાં વિસ્ફોટ કરાયો હતો. જ્યારે 2013મા સમાજવાદી પાર્ટીની સરકાર ફરી સત્તાએ આવી ત્યારે આ લોકોએ શમીમ અહેમદ નામના આરોપી પર ચાલી રહેલા કેસ પાછા ખેંચ્યા હતા.
આતંકીઓને પાતાળમાંથી શોધી લાવીને સજા આપીશું
પીએમ મોદીએ કહ્યું કે આતંકીઓને પાતાળમાંથી શોધી લાવીને સજા આપીશું. પીએમે આગળ કહ્યું કે યુપીની સમાજવાદી પાર્ટીની સરકારે ઘણા આતંકીઓ સામેના કેસ પાછા ખેંચ્યાં છે. ઉલ્લેખનીય છે કે પીએમની સાથે સીએ યોગીએ પણ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી યુપીમાં આતંકીઓને પનાહ આપી રહી છે.
અમદાવાદ બોંબ બ્લાસ્ટમાં ફાંસીની સજા પામેલા 5-6 દોષિતો યુપીના
ઉલ્લેખનીય છે કે કોર્ટે શુક્રવારે 2008ના અમદાવાદ બોંબ બ્લાસ્ટના 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે અને ફાંસીની સજા પામનાર 5-6 આતંકીઓ યુપીના હોવાનું કહેવાય છે. પ્રધાનમંત્રી મોદીએ આ કેસને ટાંકતા અગાઉની સમાજવાદી પાર્ટીની સરકાર પર પ્રહાર કર્યાં હતા.
SP govt in UP sought to withdraw cases against several terrorists: PM Modi at Hardoi rally
હરદોઈ રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે યુપીને આજે કટ્ટા અને સટ્ટામાંથી મુક્તિ મળી છે. મને દુખ છે કે 2014-2017 સુધી આ પરિવારવાદીઓ મને સમર્થન આપતા નહોતા. હું યુપીનો સાંસદ છું પરંતુ 2017 સુધી તેઓ મને યુપી માટે કામ કરવા દેતા નહોતા. જો તમે તેમને ફરી વાર સત્તાએ લાવશો તો શું તેઓ મને ફરી વાર કામ કરવા દેશે. શુ આવા લોકોને ફરી ચૂંટી કાઢવા જોઈએ.
પરિવારવાદીઓ હવે જાતિને નામે ઝેર ઓકી રહ્યાં છે
મોદીએ કહ્યું કે આવા પરિવારવાદીઓ હવે જાતિને નામે ઝેર ઓકી રહ્યાં છે. આવા લોકો પોતાના પરિવારની ખુરશી માટે લડી રહ્યાં છે. ડબલ એન્જિન સરકાર કોઈ પરિવારવાદી નથી કેન્દ્રની પણ છે. અમારી સરકાર ગરીબ, ખેડૂત અને યુવાનોની છે.