પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેજસ્વી યુવાન અભિનેતા ખૂબ ઝડપથી ચાલ્યો ગયો. તે પોતાની પાછળ યાદગાર પરફોર્મન્સ પાછળ છોડી ગયો છે. તેના નિધનથી હું હેરાન છું.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો આપઘાત
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી સંવેદન વ્યક્ત કરી
પીએમ નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને વધુમાં લખ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત ... એક તેજસ્વી યુવાન અભિનેતા ખૂબ ઝડપથી ચાલ્યો ગયો. તેણે ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું હતું. મનોરંજનની દુનિયામાં તેની સફળતાએ ઘણાને પ્રેરણા આપી અને ઘણા યાદગાર અભિનય પાછળ છોડી દીધા. તેના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ.
બાંદ્રામાં આવેલ ઘરમાં ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત
ટેલિવિઝનની દુનિયામાંથી ફિલ્મોમાં આવનાર સુશાંત સિંહ રાજપૂતે બાંદ્રામાં તેના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. આ સમાચારથી બધાને આંચકો લાગ્યો છે. કાઇ પો છે, એમએસ ધોની, છિછોરે જેવી ફિલ્મો દ્વારા તેમણે ટીવી ઇન્ડસ્ટ્રી સિવાય બૉલીવુડમાં એક આગવું સ્થાન બનાવ્યું હતું. તેમની આત્મહત્યા બાદ તેમના દેહને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું છે અને તેમના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
Sushant Singh Rajput...a bright young actor gone too soon. He excelled on TV and in films. His rise in the world of entertainment inspired many and he leaves behind several memorable performances. Shocked by his passing away. My thoughts are with his family and fans. Om Shanti.
આપઘાત પાછળનું હજુ કારણ બહાર આવ્યું નથી. સુશાંતે હજી લગ્ન કર્યા નહોતા. સુશાંતની રિલેશનશિપ્સની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી તેનું નામ અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે ચર્ચાતું હતું. પરંતુ અંકિતા લોખંડે સાથે સુશાંતના સંબંધોને એક સમયે ટાંકવામાં આવતા હતા. હસમુખ ચહેરો ધરાવતા સુશાંતને ઝી ટીવીની સિરિયલ પવિત્ર રિશ્તામાં ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. અંકિતા સાથેની તેમની જોડીને સૌ કોઈ દ્વારા પસંદ કરવામાં આવી હતી. દરેક માતા પિતા તેમના જેવા પુત્ર અને પુત્રવધૂ ઇચ્છતા હતા.