વડાપ્રધાન મોદી મોરબી સિવિલ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિજનો અને અસરગ્રસ્તોના હાલચાલ પૂછી રહ્યા છે. તેમણે ઘટનાની આપવીતી પણ સાંભળી હતી. ત્યારબાદ હવે PM મોદી હવે મોરબી SP ઓફિસે જવા રવાના થશે. જ્યાં હાઇલેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને રાજ્ય હચમચી ગયું છે. આ હોનારતમાં 135 લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. તેવામાં PM મોદીએ આજના બપોર બાદના પોતાના કાર્યક્રમ રદ કરી મોરબીની મુલાકાતે પહોંચ્યા છે.PM મોદી મોરબીએ ઘટનાનું નિરીક્ષણ કરી મોરબીમાં અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બ્રિજ દુર્ઘટનાનો તાગ મેળવ્યો હતો. દુર્ઘટના સ્થળે મોદી 10 થી 15 મિનિટ રોકાયા હતા.
3:50 PM
મોરબી SP કચેરીમાં બેઠક પૂર્વે સલામતી બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે, મુખ્ય સચિવ સહીત અધિકારીઓ સાથે વડાપ્રધાન બેઠક કરશે. જેને લઇને મોરબી SP કચેરીમાં બેઠક પૂર્વે સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. SP કચેરીનો જાહેરમાર્ગ બંધ કરી દેવા ઉપરાંત જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. એટલુ જ નહિ મીડિયાને પણ આ સ્થળેથી દૂર કરાયા છે.
મોરબીની હોસ્પિટલનું રંગ-રોગાન કરાયું
PM મોદીની સિવિલ હોસ્પિટલમાં મુલાકાતને સોમવારે રાત્રે મોરબીની હોસ્પિટલનું રંગ-રોગાન કરવામાં આવ્યું હતું. ગઇકાલે રાત્રે હોસ્પિટલની કેટલીક દિવાલો અને છતના ભાગોને ફરીથી રંગવામાં આવ્યા હતા અને નવા વોટર કૂલર પણ ત્યાં રાખવામાં આવ્યા હતા. આ સાથે જ પુલ અકસ્માતમાં ઘાયલ થયેલા 13 જેટલા લોકો જે બે વોર્ડમાં છે ત્યાં પલંગની ચાદર પણ બદલવામાં આવી હતી. જણાવી દઈએ કે મોડી રાત્રે ઘણા લોકો આખા કેમ્પસમાં સફાઈ કરતા જોવા મળ્યા હતા. આ મામલે વિપક્ષે અનેક સવાલો પણ કર્યા હતા.