પીએમ મોદીએ કહ્યું પીએમએ કહ્યું કે 40 કરોડ લોકો બાહુબલી બની ચૂક્યા છે.
40 કરોડ લોકો બાહુબલી બની ગયા- પીએમ મોદી
છત્રી લઈને સંસદ પહોંચ્યા પીએમ મોદી
સાંસદ પ્રાથમિક્તાની સાથે મહામારીના મુદ્દા પર ચર્ચા કરે - પીએમ
40 કરોડ લોકો બાહુબલી બની ગયા- પીએમ મોદી
સંસદનું મોનસૂન સત્ર આજથી શરુ થઈ ચૂક્યુ છે. સરકાર આ સત્રમાં અનેક કાયદા પાસ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે વિપક્ષ પણ અનેક મુદ્દા પર સરકારને ઘેરવા માટે તૈયાર છે. જેમાંથી એક કોરોના રસીકરણ છે. આની વચ્ચે પીએમ મોદીએ કહ્યું તે અઘરા સવાલો માટે તૈયાર છે પરંતુ હાલ વાતાવરણ શાંતિપૂર્ણ બન્યુ રહે. પીએમએ કહ્યું કે રસીકરણ પર વાત કરતા કહ્યું કે જે લોકોએ રસી લીધી છે તે બાહુબલી બની ગયા છે. પીએમએ કહ્યું કે 40 કરોડ લોકો બાહુબલી બની ચૂક્યા છે.
છત્રી લઈને સંસદ પહોંચ્યા પીએમ મોદી
મોનસૂનમાં વરસાદની વચ્ચે છત્રી લઈને સંસદ પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે અમે તમામ સાંસદ અને દળોને અપીલ કરે છે કે તે અઘરામાં અઘરા સવાલ પુછો. પણ સરકારને જવાબ આપવાનો મોકો આપો. આનાથી લોકતંત્ર મજબૂત થશે અને લોકોનો વિશ્વાસ કાયમ રહેશે.
સાંસદ પ્રાથમિક્તાની સાથે મહામારીના મુદ્દા પર ચર્ચા કરે - પીએમ
પીએમ મોદી બોલ્યા શાંતિપૂર્ણ રીતે સવાલ ઉઠાવો. હું ઈચ્છુછુ કે તમામ સભ્ય અઘરા સવાલ ઉઠાવે. પરંતુ શાંતિપૂર્ણ વાતાવરણમાં. મને આશા છે કે તમને બધાને રસીનો એક ડોઝ મળી ગયો હશે. પોતાના બાજુઓ પર રસી લગાવી બાહુબલી બની જાવ. કોરોનાથી લડવા માટે આ એક માત્ર રીત છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં લગભગ 40 કરોડ લોકો બાહુબલી બની ચૂક્યા છે. હું ઈચ્છુ છુ કે સાંસદ પ્રાથમિક્તાની સાથે મહામારીના મુદ્દા પર અસરકારક રીતે ચર્ચા કરે.