2014થી આજ સુધી ક્યાંય એનઆરસી પર કોઈ ચર્ચા થઈ નથી. આસામ માટે સુપ્રીમના આદેશથી લાગૂ કરવામાં આવ્યું. વિપક્ષ NRC લાવ્યા પહેલાં જ અફવા અને જૂઠાણું ફેલાવી રહ્યું છે. CAA ભારતના કોઈ નાગરિક માટે નથી, દેશના 130 કરોડ લોકોને કોઈ અસર નહીં થાય. હિંદુસ્તાનમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી. કોઈ મુસ્લિમને ક્યાંય મોકલવામાં આવશે નહીં. વિપક્ષ આ સેન્ટરનો ભય ફેલાવી રહ્યું છે.
ચૂંટણી પ્રચારના શ્રીગણેશ સાથે PM મોદીની ધન્યવાદ રેલી
રેલીના નામે શક્તિ પરિક્ષણ, સુરક્ષા એજન્સીઓ સતર્ક
વિરોધ વચ્ચે વિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ
સભામાં મમતા બેનર્જીને આપ્યો જડબાતોડ જવાબ
સભામાં પીએમ મોદીએ મમતા બેનર્જી પર પણ પ્રહાર કર્યા. કહ્યું મમતા દીદી શા માટે ડરે છે. ચૂંટણીઓ આવતી રહે છે અને જતી રહે છે. તમે શા માટે ડરી રહ્યા છો. બંગાળી જનતા પર ભરોસો કરો, બંગાળના નાગરિકો તમને દુશ્મન કેમ માની બેઠા છે. તમે શા માટે બદલાઈ રહ્યા છો અને અફવાઓ ફેલાવી રહ્યા છો. દેશ જોઈ રહ્યો છે મમતા દીદી કોની સાથે છે. પીએમ મોદીએ કહ્યું છે કે તિરંગો ઉઠાવવો આપણો હક છે પણ તે જવાબદારીઓ લઈને આવે છે.
ગાંધીજીને યાદ કરીને કહી આ વાત
મોદીને માનો યા ન માનો, ગાંધીને તો માનો. નાગરિકતા કાયદો મહાત્મા ગાંધીની ભાવના છે. શરણાર્થીઓ ઓળખ છૂપાવતા નથી અને ઘૂસણખોરો જાહેર કરતા નથી. મનમોહન સિંહે કહ્યું હતું કે આપણે બાંગ્લાદેશથી આવેલા લોકોને નાગરિકતા આપવી જોઈએ જેમની આસ્થાના કારણે ઉત્પીડન થઈ રહ્યું છે. આ ભાવનાને અપનાવી તો હું દુશ્મન છું. ગાંધીજીએ આપ્યું તે વચન અમે પાળી રહ્યા છીએ. આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈ - ગેહલોત પાક.ના શરણાર્થીઓ માટે પત્ર લખતા હતા. ગેહલોત વોટબેંકના ડરથી વિરોધ કરી રહ્યા છે.
CAAનો લાભ કોઈ નવા શરણાર્થીને મળશે નહીં.
2014થી આજ સુધી ક્યાંય એનઆરસી પર કોઈ ચર્ચા થઈ નથી. આસામ માટે સુપ્રીમના આદેશથી લાગૂ કરવામાં આવ્યું. વિપક્ષ NRC લાવ્યા પહેલાં જ અફવા અને જૂઠાણું ફેલાવી રહ્યું છે. CAA ભારતના કોઈ નાગરિક માટે નથી, દેશના 130 કરોડ લોકોને કોઈ અસર નહીં થાય. હિંદુસ્તાનમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી. કોઈ મુસ્લિમને ક્યાંય મોકલવામાં આવશે નહીં. વિપક્ષ આ સેન્ટરનો ભય ફેલાવી રહ્યું છે. વિપક્ષને કટાક્ષ કરતાં કહ્યું કે ખોટું બોલતાં પહેલાં ગરીબોની પર દયા કરો. આ એક્ટ એ લોકો માટે છે જે વર્ષોથી ભારતમાં રહી રહ્યા છે. કોઈ નવા શરણાર્થીને આ કાયદાનો લાભ મળશે નહીં.
પીએમ મોદીએ શહીદ પોલીસકર્મીઓ માટે કરાવ્યા સૂત્રોચ્ચાર
પીએમએ કહ્યું કે આ કાયદાની હિંસામાં 33000 પોલીસો શહીદ થયા છે. પોલીસે હિંસાનો શિકાર થવું પડ્યું છે. પોલીસ માટે શહીદો અમર રહોના નારા સભામાં ગૂંજ્યા. પોલીસ કોઈના દુશ્મન નથી.
હિંસાને લઈને પીએમ મોદીએ કહી આ વાત
દેશની સંપત્તિ ન સળગાવો, ગરીબની ઝૂંપડી ન સળગાવો, હિંસા ન ફેલાવો. દુકાનોમાં આગ ન લગાવો. તમને મારાથી તકલીફ હોવ તો મારી પર કાઢો. મારા પૂતળા સળગાવો. મોદી પસંદ ન હોય તો જૂતાં મારો. હિંસામાં સરકારી સંપત્તિને નુકસાન થાય તે યોગ્ય નથી. જે પોલીસને તમે નુકસાન પહોંચાડી રહ્યા છો તેમની પર હિંસા કરવી યોગ્ય છે. પોલીસ કોઈની દુશ્મન નથી.
મોદીના મેગા શૉમાં CAAને લઈને થઈ વાત
વિરોધીઓએ ભડકાઉ ભાષણો આપી લોકોને ભડકાવ્યા. સોશિયલ મીડિયામાં ફેક ફોટો-વીડિયો પોસ્ટ કર્યા. ઉચ્ચ હોદ્દાવાળા વ્યક્તિઓએ બેજવાબદારી ભર્યા નિવેદનો કર્યા. CAA પર વિપક્ષની રાજનીતિ કરે છે. દેશની સંસદ અને સાંસદોનું સન્માન તો કરો. હું પણ તમારી સાથે બંને ગૃહોને પ્રણામ કરુ છું. CAA પાસ થયા બાદ રાજકીય પક્ષો અફવા ફેલાવી રહ્યાં છે.
સબ કા સાથ સબ કા વિકાસને સમર્પિત છીએ. મારા કામમાં ભેદભાવ દેખાય તો જાણ કરો. અમે કોઈને જાતિ કે ધર્મ પૂછતાં નથી, દરેકને લાભ મળશે. સરકાર ભેદભાવ વિના કામ કરે છે. ગેસ કનેક્શન, ઉજ્જવલા યોજના, લાઈટ, ઘર બનાવ્યા ને આપ્યા ત્યારે ધર્મ પૂછ્યો નથી. કોઈ પણ વ્યક્તિને જાતિ કે ધર્મ જાણ્યા વિના લાભ મળે છે.
CAAને લઈને કહી આ વાત
નાગરિકતા બિલ સંસદે આ બિલ પાસ કર્યું. તેમાં લોકોનું ઉજ્જવળ ભવિષ્ય માટે આ નિર્ણય લીધો હતો. નાગરિકતા કાયદાને લઈને મોદી મોદીના નારા ગૂંજ્યા. પીએમએ લોકોની મદદથી સંસદનું અને સભ્યોનું સન્માન કરવાની અપીલ કરી. તેઓએ કહ્યું તમારા ભવિષ્ય માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમએ કહ્યું કે બિલને લઈને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અમે સૌનો સાથ, સૌનો વિકાસ કરવામાં માનીએ છીએ.
રામલીલા મેદાનથી મોદીનો રણટંકાર, આ વાતોને લઈને કર્યો પ્રહાર
મેટ્રો ફેઝ -4માં રાજ્ય સરકારે વિલંબ કરાવ્યું. એક્સપ્રેસ વેનું કામ પણ વર્ષોથી અટકાવી રાખ્યું હતું. દિલ્હીની બસની હાલત પણ આ લોકોએ જ ભોગવવી પડી રહી છે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસ પણ નિરંતર રીતે કરવામાં આવી રહ્યા છે. પાણીની સમસ્યા પર સરકાર આંખ બંધ કરીને બેઠી છે. સાફ પાણી પર દિલ્હી સરકાર ખોટા વાયદા કરી રહી છે. કેજરીવાલ સરકાર પર મોદીએ કર્યા પ્રહાર.
પીએમ મોદીએ ભાષણમાં દિલ્હી સરકાર પર કર્યો પ્રહાર
આ સાથે પીએમ મોદીએ કહ્યું કે રામલીલા મેદાન અનેક ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી રહ્યું છે. આ દેશની પ્રજા જ મારા વીવીઆઈપી લોકો છે. ચૂંટણીઓ આવતી, વાયદાઓ થતાં. દિલ્હી સરકારે કામ ન કર્યું અને હું કરતો તો વિરોધ કર્યો. અમારી સરકારમાં દર વર્ષે 25 કિમીના મેટ્રો રૂટ બને છે. વિપક્ષને ખબર નથી કે આ મોદી છે.
40 લાખ લોકોને મળ્યા નવા ઘર
પીએમ મોદીએ કહ્યું કે 40 લાખ લોકોના જીવનમાં ઉજાસ આવ્યો છે. દિલ્હીના લોકોને સંપૂર્ણ અધિકાર મળ્યો છે, આઝાદી બાદ દશકો બાદ મોટી આબાદીને અનિશ્ચિતતા, ડર, છળ, કપટ અને ખોટા દાવામાંથી પસાર થવું પડ્યું છે. પ્રધાનમંત્રી ઉદય યોજનાથી નવા ઘર મળ્યા છે.
PM મોદી રામલીલા મેદાનના સ્ટેજ પર પહોંચ્યા છે. દિલ્હી ભાજપના નેતાઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ CAA અને NRCના વિરોધને લઈને ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. 'સભામાં મોદી હૈ તો મુમકિન હૈ'ના નારા ગૂંજ્યા.
Delhi: Prime Minister Narendra Modi arrives at Ramlila Maidan. He will address a rally here, shortly. pic.twitter.com/fRitz3C5IE
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરી રામલીલા મેદાનમાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરી કર્યા. તેઓએ 3 અઠવાડિયામાં 1731 કોલોનીના નક્શા વેબસાઈટ પર અપડેટ કર્યા છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ અને આપની સરકાર જે અનેક વર્ષોમાં કરી શકી નહીં તે ભાજપ સરકારે મહિનાઓમાં કરી દેખાડ્યું છે.
રેલી પહેલાં લોકકલાકારોએ ભજવી ખાસ ભૂમિકા
રામલીલા મેદાનમાં પીએમ મોદીની રેલી પહેલાં જ લોક કલાકારો પહોંચ્યા હતા અને લોકોનું મનોરંજન કર્યું હતું.
पीएम श्री नरेन्द्र मोदी कुछ ही देर में दिल्ली के रामलीला मैदान में 'आभार रैली' को संबोधित करेंगे। #DilliChaleModiKeSaath
રામલીલા મેદાનમાં નરેન્દ્ર મોદીની રેલીને જોતાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સ્નિફર ડોગ્સ પણ લાવવામાં આવ્યા છે. પોલીસના સીનિયર અધિકારીના આધારે સુરક્ષાદળની 20 કંપનીઓ રાખવામાં આવી છે અને તેમાં 70-80 જવાન હાજર રહેશે. દિલ્હી પોલીસના ડીસીપી રેંકના 20 અધિકારી હાજર છે. આ સિવાય સ્થાનિક પોલીસના પણ 1000થી વધારે જવાનો હાજર રહેશે. એન્ટી ડ્રોન ટીમ, એનએસજી કમાન્ડોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
NRC અને નાગરિકતા સંશોધન એક્ટને લઈને દિલ્લીમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે દિલ્હીમાં આજે PM મોદીની રેલી રામલીલા મેદાનમાં હોવાથી દિલ્હી પોલીસ સતર્ક થઈ છે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રેલી દરમિયાન ભારતમાં સક્રિય ISIના સ્લીપર ફાયદો ઉઠાવી શકે છે. આ દરમિયાન NRC અને CAAને લઈને ISI રેલીમાં હિંસા કરાવી શકે છે. રેલીને લઈને દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. આ સાથે જ પોલીસકર્મીઓને સિવિલ કોડમાં રહેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીની પરિસ્થિતિને જોઈને અન્ય રાજ્યોની પણ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ છે.
દિલ્હીમાં આજે PM મોદી બપોરે 12.45 વાગ્યે રામલીલા મેદાનમાં ધન્યવાદ રેલી યોજી રહ્યા છે. આ સમયે તેઓ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના અભિયાનનું બ્યૂગલ ફૂંકશે, દિલ્હીમાં ગેરકાયદેસર કોલોનીને નિયમિત કરવાથી લગભગ 40 લાખ લોકોનો માલિકી હક મળ્યો છે.
પાર્ટી નેતાની તૈયારીઓ
ભાજપના પદાધિકારીઓએ આઈએએનએસને જણાવ્યું છે કે કુલ 7 સાંસદ, 281 મંડળ અધ્યક્ષ, નિગમ અધિકારીઓ, અધ્યક્ષોની ભીડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યં છે. આ મંડળથી ઓછામાં ઓછા 500 લોકોને રેલીમાં લાવવાનું આયોજન છે.પાર્ટી નેતા ભારે ભીડ એકત્ર કરીને ભાજપના પક્ષમાં માહોલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે.
આ મેદાન પર કોંગ્રેસે કરી હતી ભારત બચાઓ રેલી
કોંગ્રેસે 14 ડિસેમ્બરે આ મેદાનમાં ભારત બચાઓ રેલી યોજી હતી. આ સમયે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીની માફી માંગતા કહ્યું હતું કે મારું નામ રાહુલ સાવરકર નહીં પણ રાહુલ ગાંધી છે અને તેઓ માફી માંગશે નહીં. મહારાષ્ટ્રમાં સહયોગી પાર્ટી શિવસેનાએ પણ આ માટે પ્રશ્નો સર્જ્યા હતા.
રેપ ઈન ઈન્ડિયાને પણ રાહુલ ગાંધીએ બનાવ્યો હતો મુદ્દો
ઉલ્લેખનીય છે રાહુલ ગાંધીએ ઝારખંડની રેલીમાં રેપ ઈન ઈન્ડિયાને લઈને ટિપ્પણી કરી હતી. તેને લઈને પણ ભાજપના નેતાઓએ સંસદમાં માફી માંગવા કહ્યું અને તે બાબતે સંસદમાં ભારે હોબાળો થયો હતો.
જામિયામાં ફેલ થયા બાદ રામલીલા મેદાનમાં પાસ થવાની ચેલેન્જ
ગયા રવિવારે રાજધાની પોલીસ ફેલ થઈ હતી. જામિયા કાંડ બાદ અન્ય રવિવારે હવે તેઓ દિલ્હીમાં રામલીલા મેદાનમાં રેલી કરી રહી છે. અહીં દિલ્હી પોલીસ માટે મોટું સંકટ સર્જાઈ શકે છે. પીએમ મોદીની આજની રેલીમાં 1 લાખથી વધારે લોકોની ભીડ હાજર રહેવાનું અનુમાન છે.
પીએમ મોદીને નિશાન બનાવી શકે છે આતંકીઓ
પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહ 22 ડિસેમ્બરે રામલીલા મેદાનમાં થનારી પીએમની રેલીને ટાર્ગેટ કરી શકે છે. ખાનગી એજન્સીઓના સુરક્ષા સમૂહને દિલ્હી પોલીસે સૂચિત કર્યા છે. પીએમને માટે બ્લૂ બુકના નિર્દેશોને લાગૂ કરવાની અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ રેલીમાં પીએમ સાથે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી પણ હાજર રહેશે.