મોદીએ કોંગ્રેસ પર હિન્દુ આતંકવાદને લઇ આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના કરોડો લોકો પર હિન્દુ આતંકવાદ પર ધબ્બો લગાવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. હજારો વર્ષના ઇતિહાસમાં હિન્દુઓના આતંકવાદની કોઇ ઘટના છે શું? અંગ્રેજ ઇતિહાસકારોએ પણ આવું કર્યું નથી.
નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચાર પૂરજોશમાં શરૂ કર્યો છે. મોદીએ કોંગ્રેસ પર હિન્દુ આતંકવાદને લઇ આકરા પ્રહારો કર્યા હતા. મહાત્મા ગાંધીની કર્મભૂમિ કહેવાતા વર્ધામાં પીએમ મોદીએ કોંગ્રેસને આડેહાથે લીધી હતી. કોંગ્રેસે હિંદુ આતંકવાદ જેવો શબ્દ પ્રયોગ કર્યા બાદ હવે દેશની પ્રજાને જવાબ અપવાનો સમય આવ્યો છે ત્યારે ભાગી રહ્યા છે. તેમનો ઈશારો આડકતરી રીતે રાહેલ ગાંધીની અમેઠી બેઠક પરનો હતો.
નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચાર પૂરજોશમાં શરૂ કર્યો છે. મોદીએ કોંગ્રેસ પર હિન્દુ આતંકવાદને લઇ આકરા પ્રહારો કર્યા હતા. હિંદુ આતંકવાદી જેવા શબ્દો વાપવા પર હવે રાહુલ ગાંધીને ઘેરી રહ્યા છે. મોદીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોંગ્રેસનું ષડયંત્ર ઉજાગર થયું છે. આ વાતને કોંગ્રેસ પણ સમજી રહી છે કે, દેશે તેને સબક શીખવાડવાનું મન બનાવી લીધું છે. હવે મેદાન છોડીને ભાગવા લાગ્યા છે. તેમણે જેમને આતંકવાદી કહ્યા છે તેઓ હવે જાગી ચૂકયા છે. હિન્દુઓની સાથે આતંકવાદ જોડી દીધો, આથી જયાં હિન્દુ વસતી વધુ છે ત્યાંથી ચૂંટણી લડી શકતા નથી. આથી એવી જગ્યા એ ભાગ્યા છે જ્યાં હિન્દુઓની વસતી ઓછી છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના કરોડો લોકો પર હિન્દુ આતંકવાદ પર ધબ્બો લગાવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. હજારો વર્ષના ઇતિહાસમાં હિન્દુઓના આતંકવાદની કોઇ ઘટના છે શું? અંગ્રેજ ઇતિહાસકારોએ પણ આવું કર્યું નથી. અમારી 5,000 વર્ષ જૂની સભ્યતા પર કલંક કોને લગાવ્યો? એવી કોંગ્રેસને માફ કરી શકીએ છીએ શું? પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના જ કોંગ્રેસ નેતા સુશીલકુમાર શિંદે હતા, જેમણે હિન્દુ આતંકવાદ શબ્દ આપ્યો હતો.
મોદીએ પુલવામા હુમલા બાદ કરેલી એરસ્ટ્રાઈકને પણ યાદ કરી હતી. મોદીએ કહ્યું કે આપણા વીર જવાનોએ એર સ્ટ્રાઇક કરી તો આ લોકો પુરાવા માગવા લાગ્યા. આ એવી વાત છે કે, પાકિસ્તાનમાં સારી લાગે છે. હું વિદર્ભની ધરતી પરથી પૂછવા માંગું છું કે તમને ભારતનો હીરો જોઇએ કે પછી પાકિસ્તાનનો હીરો. તેમણે પોતાને શૌચાલયનો ચોકીદાર ગણાવતા કહ્યું કે મેં શૌચાલય અભિયાન સાથે મહિલાઓની અસ્મિતાની રક્ષા કરવાનું કામ કર્યું છે. આ તમારા માટે મજાકનો વિષય હશે, પરંતુ મારી માટે માતાઓ અને બહેનોની ઇજ્જતનો વિષય હતો. આ ઉપરાંત તેમને શરદ પવારને લઇ પ્રહાર કર્યા હતા.
તેમને કહ્યું કે, દેશના સૌથી અનુભવી નેતાઓમાંથી એક છે. કહેવાય છે કે તેઓ કયારેય સમજ્યા-વિચાર્યા વગર કામ કરતાં નથી. તેમને પીએમની રેસમાં મનાતા હતા. તેમણે કહ્યું હતું કે હું ચૂંટણી લડીશ, પરંતુ એક દિવસ અચાનક બોલ્યા કે હું રાજ્યસભામાં જ ખુશ છું. શરદ પવાર પણ જાણે છે કે હવાનો રૂખ ક્યા છે. આ વખતે પ્રજાએ સારા-સારા લોકોને મેદાનમાંથી બહાર ભગાડ્યા છે. આમ તેમને એનસીપી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.