પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભામાં ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે રવિવારે છપરા, સમસ્તીપુર, મોતિહારી અને પશ્ચિમી ચંપારણમાં ચૂંટણી રેલી યોજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જંગલરાજના યુવરાજને તો તમે જોઇ જ રહ્યા છો. કોંગ્રેસ પાર્ટીનો અવકાશ પણ હવે માત્ર પોતાના પરિવાર સુધી જ સીમિત રહી ગયું છે. માત્રને માત્ર પોતપોતાના પરિવાર માટે કામ કરી રહેલી આ પારિવારિક પાર્ટીઓએ તમને શું આપ્યું? પીએમ મોદીએ પોતાના ચૂંટણી પ્રચારમાં CAA, કલમ 370 અને રામ મંદિરને લઇને પણ નિવેદન આપ્યું હતું.
બિહાર વિધાનસભામાં ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર
શું CAAથી કોઇની નાગરિકતા ગઇ?: પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદાતાઓએ કહ્યું કે, તેમણે જંગલ રાજથી કોઇ પણ હાલતમાં પાછું નથી થવા દેવાનું. પીએમ મોદીએ કહ્યું કે, યાદ કરો જંગલ રાજને જ્યારે લોકોએ પોતાના ઘરોમાં સામેથી જૂનું કરીને રાખતા હતા. તેમને ડર હતો. ઘર જેટલું સારુ, કિડનેપિંગ એટલી જલ્દી. જેનું ઘર મોટું, રંગદારી પણ એટલી મોટી.
શું CAAથી કોઇની નાગરિકતા ગઇ?: પીએમ મોદી
વિપક્ષ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખોટું બોલીને, લોકોને ડરાવીને આ લોકો હંમેશા પોતાના સ્વાર્થની સિદ્ધિ કરી રહ્યા છે, તમે લોકોનો વિશ્વાસ તોડી રહ્યા છો. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે નાગરિકતા સંશોધન કાયદો આવ્યો તો તેમણે જૂઠ ફેલાવ્યું કે, બહુ બધા ભારતીઓની નાગરિકતા ચાલી જશે. હવે એક વર્ષ થવા આવ્યું છે, પરંતુ શું કોઇ પણ ભારતીય નાગરિકની નાગરિકતા ગઇ?
કલમ 370 પર કેટલાક લોકો ખોટું બોલ્યાઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, જ્યારે જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવવામાં આવી ત્યારે કેટલાક નકારાત્મક લોકોએ કહ્યું કે, કાશ્મીરમાં આગ લાગી જશે. ખુનની નદીઓ વહી જશે. ન જાણે શું શું બોલવામાં આવ્યું... ગર્ભનાળનો સંબંધ પૂર્ણ થઇ જશે. પરંતુ શું થયું? આજે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ શાંતિ અને વિકાસના નવા પથ પર અગ્રેસર છે.
તેમને ભૂલવાના જે લોકો ભગવાન રામના અસ્તિત્વ પર જ સવાલ ઉભા કરી રહ્યા હતાઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે સમગ્ર દેશના સહયોગથી, જનભાગીદારીથી, અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, પરંતુ આ સમયે પણ તેવા લોકોને ભૂલવાના નથી જેઓ ભગવાન રામના અસ્તિત્વ પર જ સવાલ ઉભા કરી રહ્યા હતા, રામ મંદિર નિર્માણમાં અડચણ ઉભી કરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની રાહ પણ આપણા વનવાસી મિત્રો, પેઢીઓથી કરી રહ્યા હતા.