પીએમ મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને લેફ્ટ પર નિશાન સાધ્યો
પશ્ચિમ બંગાળમા વિધાનસભા ચૂંટણીને પગલે આજે પીએમ મોદીએ પુરોલિયામાં રેલી સંબોધી છે. આ દરમિયાન પીએમ મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને લેફ્ટ પર નિશાન સાધ્યો
પીએમએ કહ્યું રામે સીતાની તરસ છીપાવવા જમીનમાં તીર મારી પાણી કાઢ્યું. પરંતુ અહીં સિંચાઈની સ્થિતિ ખરાબ છે. રાજ્યમાં મમતા સરકારે વિકાસ નથી કર્યો અને પોતાના જ ખેલમાં લાગી છે. જાણો મોદીએ શું કહ્યું. આ ધરતી રામ-સીતાના વનવાસની સાક્ષી છે. અજુદ્યા પર્વત, સીતા કુંડ અને અજુદ્યા નામની ગ્રામ પંચાયત છે. જ્યારે સીતાને તરસ લાગી તો રામે તરસ છીપાવવા જમીનમાં તીર મારી પાણી કાઢ્યું હતી.
અહીં વિકાસ પણ થશે અને તમારુ જીવન સરળ બનશે
આજે પુરુલિયામાં પાણીનું સંકટ બહું મોટી સમસ્યા છે. અહીંના લોકોને પાણી નથી મળતું એટલે તેઓ યોગ્ય ખેતી પણ નથી કરી શકતા મહિલાઓને પાણી માટે દૂર જવું પડે છે. ટીએમસી સરકાર ફક્ત પોતાના ખેલમાં લાગી છે . આ લોકોને પુરોલિયાને જળ સંકટ, પલાયન અને ભેદભાવ ભર્યુ શાસન આપ્યું છે. આ લોકોએ આની ઓળખ દેશના સૌથી પછાત વિસ્તારમાં કરી છે. પરંતુ ભાજપ સરકાર બન્યા બાદ આ સમસ્યાઓને ઓછી કરશે. જ્યારે બંગાળમાં ડબલ એન્જિનની સરકાર બનશે તો અહીં વિકાસ પણ થશે અને તમારુ જીવન સરળ બનશે.
ટીએમસીની હાર નક્કી છે
તમારો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ટીએમસીની હાર નક્કી છે ટીએમસીના હવે ગણતરીના દિવસો છે અને મમતા દીદી પણ આ વાત સમજી રહી છે. એટલા માટે તે કહી રહી છે કે ખેલ હોબે. જનતાની સેવાની પ્રતિબદ્ધતા હોય. જ્યારે બંગાળમાં વિકાસ માટે દિવસ રાત એક કરવાનો સંકલ્પ હોય. તો રમત નથીં રમાતી દીદી.
મોદીનો મમતા પર સીધો હુમલો
મોદીનો મમતા પર સીધો હુમલો કરતા કહ્યું કે 10 વર્ષ તૃષ્ટિકરણ બાદ લોકો પર લાઠી-દંડા ચલાવ્યા બાદ હવે અચાનક બદલાયેલા બદલાયેલા લાગે છે. આ હૃદય પરિવર્તન નથી આ હારનો ડર છે. આ બંગાળની જનતાની નારાજગી છે. જે દીદીને આ બધું કરાવી રહી છે. દીદી એ ન ભૂલો કે બંગાળમાં લોકોની યાદશક્તિ ઘણી તેજ છે. બંગાળમાં જનતાને યાદ છે કે ગાડીમાંથી ઉતારી પોતાના કેટલા લોકોને વઢ્યા અને પોલીસે તેને પકડવા માટે કહ્યું હતુ. તુષ્ટિકરણ માટે તમારી તમામ કાર્યવાહી જનતાને યાદ છે. બંગાળના લોકો બહું પહેલા મન બનાવી ચૂક્યા છે. બંગાળના લોકો બહું પહેલા કહી રહ્યા છે લોકસભામાં ટીએમસી હાફ અને આ વખતે પુરી સાફ