યુપીમાં રખડતાં ઢોર લોકો માટે માથાનો દુખાવો બન્યાં છે ત્યારે લોકોની આ સમસ્યા પર તાકીદનું ધ્યાન આપીને પીએમ મોદીએ તેને દૂર કરવાની ખાતરી આપી છે.
યુપીમાં રખડતા ઢોર લોકો માટે બન્યા માથાનો દુખાવો
PM મોદીએ લોકોને રખડતાં ઢોરની સમસ્યા દૂર કરવાની આપી ખાતરી
10 માર્ચે સરકાર બન્યા બાદ આ યોગીજીના નેતૃત્વમાં યોજના લાગુ પાડીશું.
યુપીમાં જ્યારથી કતલખાના પર પ્રતિબંધ આવ્યો છે ત્યારથી રખડતાં ઢોર મોટી સમસ્યા બન્યા છે. આજે બારાબંકીમાં ખેડૂતોએ સીએમ યોગીની રેલી નજીકના સ્થળે સેંકડો રખડતાં પશુઓ છોડી મૂક્યા હતા. ખેડૂતો તેમને પડી રહેલી સમસ્યાથી સીએમ યોગીને વાકેફ કરાવવા માગતા હતા. ત્યારે હવે આ સમસ્યાનો ઉલ્લેખ પીએમ મોદીએ તેમની રેલીમાં કર્યો છે.
5 सालों में उत्तर प्रदेश में जितने भाजपा के सदस्य नहीं बने होंगे, उससे 5 गुना ज्यादा तो सांड इकट्ठे कर दिए भाजपा की सरकार ने।
चुनाव आते ही अब कह रहे हैं कि “छुट्टा जानवरों” का इंतजाम बांधेंगे।
મને રસ્તો મળી ગયો છે-પીએમ મોદી
મંગળવારે બહરાઇચમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ઉત્તર પ્રદેશના ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે જો યુપીમાં ભાજપની સરકાર બનશે તો રખડતા જાનવરોની સમસ્યાનો ઉકેલ આવી જશે. પીએમ મોદીએ કહ્યું કે આ માટે તેમણે રસ્તો શોધી લીધો છે. યોગી સરકાર દ્વારા ગેરકાયદે કતલખાના બંધ કરાયા બાદથી યુપીમાં બિનવારસી પ્રાણીઓની સમસ્યા વધી છે. પાક નુકશાનીના કારણે ખેડૂતોમાં આ અંગે કથિત રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષ તેને કેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
10 માર્ચે સરકાર બની ગયા બાદ આ સમસ્યા દૂર કરીશું
પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું કે, "તમે રખડતાં જાનવરોથી જે સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે અમે સમજીએ છીએ. મને રસ્તો મળી ગયો છે. 10 માર્ચે સરકાર બન્યા બાદ અને આચાર સંહિતા પૂરી થયા બાદ અમે તે તમામ યોજનાઓને યોગીજીના નેતૃત્વમાં લાગુ કરીશું. "છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વખત, પીએમ મોદીએ ખેડૂતોને આ સમસ્યા દૂર કરવાની ખાતરી આપી છે. આ પહેલા અયોધ્યામાં યુપીના મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે, રાજ્યમાં ન તો ગૌહત્યાની મંજૂરી આપવામાં આવશે કે ન તો ખેડૂતોના પાકને નુકસાન થશે.